Tripura: માણિક સાહાએ ત્રિપુરામાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ભાજપે આગામી ચૂંટણીમાં નવા ચહેરા સાથે આગળ વધવાની રણનીતિ અપનાવી

એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તા વિરોધી લહેર પર કાબુ મેળવવા અને પાર્ટીમાં (BJP) કોઈ અસંતોષને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે શનિવારે પદ પરથી રાજીનામું આપનાર બિપ્લબ કુમાર દેબનું સ્થાન લીધું છે.

Tripura: માણિક સાહાએ ત્રિપુરામાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ભાજપે આગામી ચૂંટણીમાં નવા ચહેરા સાથે આગળ વધવાની રણનીતિ અપનાવી
Manik Saha Takes Oath As The CM Of Tripura
| Edited By: | Updated on: May 15, 2022 | 12:36 PM

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને રાજ્યસભાના સભ્ય માણિક સાહા(Manik Saha) રવિવારે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તા વિરોધી લહેર પર કાબુ મેળવવા અને પાર્ટીમાં કોઈ અસંતોષને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે શનિવારે પદ પરથી રાજીનામું આપનાર બિપ્લબ કુમાર દેબનું સ્થાન લીધું છે. અગરતલામાં સવારે 11.30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પગલા સાથે પાર્ટીએ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં નવા ચહેરા સાથે આગળ વધવાની સફળ રણનીતિ અપનાવી છે.

દેબના રાજીનામાના કલાકો પછી, રાજ્ય પાર્ટી યુનિટે માણિક સાહાને તેના નવા નેતા તરીકે ચૂંટ્યા. આવું પહેલીવાર નથી થઈ રહ્યું, જ્યારે ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલ્યા હોય. તેના બદલે, તેણે અગાઉ પણ આવા નિર્ણયો લીધા છે. ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી બદલવામાં આવ્યા હતા. આ સાથે જ ત્રિપુરામાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો આપણે પાછળ નજર કરીએ તો 2019 પછી ભાજપે ગુજરાત અને કર્ણાટક સહિત પાંચ રાજ્યોમાં મુખ્યમંત્રી બદલ્યા છે.

કોંગ્રેસના ઘણા પૂર્વ નેતાઓ સીએમ બન્યા

સાહા વિશે વાત કરીએ તો, તેઓ ભાજપમાં જોડાયા બાદ મુખ્યમંત્રી બનનાર પૂર્વોત્તર પ્રદેશના ચોથા પૂર્વ કોંગ્રેસી નેતા છે. જેઓ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં હતા અને બાદમાં ભાજપમાં રહીને મુખ્યમંત્રી બન્યા હતા, તેમાં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ અને મણિપુરના સીએમ એન બિરેન સિંહના નામનો સમાવેશ થાય છે. ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે માણિક સાહાની નિયુક્તિ બાદ વિપક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. રાજકીય નિરીક્ષકો માને છે કે નેતૃત્વમાં જે ફેરફારો કરવામાં આવી રહ્યા છે તે પક્ષ દ્વારા જમીની પ્રતિક્રિયાના વિશ્લેષણના આધારે કરવામાં આવી રહ્યા છે.

સીએમ બદલતા પહેલા ભાજપ શું જુએ છે

પાર્ટી મુખ્યમંત્રીઓને બદલવા માટે અનેક પરિબળો પર નજર રાખે છે. જમીન પર કામ કરવું, સંગઠનને સારી સ્થિતિમાં રાખવું અને તે નેતાની લોકપ્રિયતાનો સમાવેશ થાય છે. ખુદ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદ સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓને તેમના મુજબ કામ કરવા દેવાના પક્ષમાં છે. જો કે, ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હાર અને તત્કાલીન સીએમ રઘુબર દાસ તેમની સીટ પરથી હારી ગયા પછી, પાર્ટીને સત્તા પરિવર્તનની જરૂરિયાતનો અહેસાસ થયો. આ પછી પૂર્વ નેતા બાબુલાલ મરાંડીને પરત લાવવામાં આવ્યા હતા.

Published On - 12:36 pm, Sun, 15 May 22