ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની (Sourav Ganguly) બીસીસીઆઈના (BCCI) અધ્યક્ષ પદેથી રજા આપ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) ખુલ્લેઆમ ગાંગુલી માટે બેટિંગ કરી છે. સોમવારે ઉત્તર બંગાળ જતા પહેલા મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી હટાવવાને અન્યાય ગણાવ્યો હતો અને પીએમ નરેન્દ્ર મોદીને (Narendra Modi) વિનંતી કરી હતી કે સૌરવ ગાંગુલીને આઈસીસીની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે. તેમણે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ.
મમતા બેનર્જીએ કહ્યું કે સૌરવ ગાંગુલી અમારું ગૌરવ છે. સૌરવ ગાંગુલીએ મેદાન પર અને પ્રશાસક તરીકે પોતાની ક્ષમતા દર્શાવી છે. તેમણે સવાલ કર્યો કે અમિત શાહનો પુત્ર કેમ રહી ગયો? સૌરવને કયા હેતુથી બાકાત રાખવામાં આવ્યો હતો? તેમણે આરોપ લગાવ્યો કે સૌરવ ગાંગુલીને ખોટી રીતે બહાર રાખવામાં આવ્યો છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હું વડાપ્રધાનને વિનંતી કરીશ કે સૌરવ ગાંગુલીને ICCની ચૂંટણી લડવાની પરવાનગી આપે. હું સરકારને વિનંતી કરીશ કે ક્રિકેટના હિતમાં નિર્ણય લે. જણાવી દઈએ કે બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ સૌરવ ગાંગુલીએ CABની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સૌરવે શનિવારે કહ્યું હતું કે, હા, હું ચૂંટણી લડવાનો છું. 22 ઓક્ટોબરે નામાંકન ભરવાનો છું. હું પાંચ વર્ષ સુધી કેબમાં હતો. લોઢા કમિટીના નિયમો મુજબ હું વધુ ચાર વર્ષ સુધી રહી શકું છું. મને આશા છે કે મારી પેનલ 20મી તારીખ સુધીમાં તૈયાર થઈ જશે.
જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પહેલાથી જ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાયો નથી. જેના કારણે તેમને પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે જય શાહ ફરી તેમના જૂના પદ પર આવી રહ્યા છે.
સોમવારે, તૃણમૂલ કોંગ્રેસના અન્ય નેતાઓની જેમ, મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલી પર અન્યાય કરવાનો આરોપ મૂક્યો અને સંકેત આપ્યો કે સૌરવ ગાંગુલી રાજકારણનો શિકાર બની ગયો છે, પરંતુ તેનાથી ક્રિકેટ માટે કોઈ ફાયદો થશે નહીં. તેમણે આ મામલે પીએમના હસ્તક્ષેપની માગ કરી હતી.
Published On - 3:26 pm, Mon, 17 October 22