Breaking News: અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉંડી ખીણમાં પડી, 7ના મોત

|

May 30, 2023 | 8:06 AM

શ્રીનગર હાઈવે પાસે અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 75 લોકો સવાર હતા. જેમાંથી 7ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે જમ્મુ મોકલવામાં આવ્યા છે.

Breaking News: અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉંડી ખીણમાં પડી, 7ના મોત
Jammu Srinagar highway bus fell into ditch

Follow us on

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ઝજ્જર કોટલી પાસે મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. બસ વૈષ્ણોદેવી માટે મુસાફરોને લઈને અમૃતસરથી કટરા જઈ રહી હતી. આ અકસ્માતમાં 7 મુસાફરોના મોત થયા છે જ્યારે 12થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલની કિંમતમાં ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ઘટના અંગે માહિતી આપતા જમ્મુના ડીસીએ જણાવ્યું કે બસ ઊંડી ખીણમાં પડી જવાથી 7 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલોને સરકારી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય 12 લોકોને સ્થાનિક પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. બસ નેશનલ હાઈવે 44 પર ઝજ્જર કોટલી પહોંચી કે તરત જ બસે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 75 લોકો સવાર હતા. જેમાંથી 7ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે જમ્મુ મોકલવામાં આવ્યા છે.

અકસ્માત પાછળનું મુખ્ય કારણ હજુ જાણવા મળ્યું નથી. ત્યારે બસમાં કુલ મુસાફરોની સંખ્યા 75 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. કેટલાક મુસાફરો બસની નીચે પણ દટાયા હોવાની આશંકા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, સીઆરપીએફ ઓફિસર અશોક ચૌધરીએ જણાવ્યું કે અમને સવારે અકસ્માતની માહિતી મળી. તરત જ અમારી ટીમે અહીં પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:17 am, Tue, 30 May 23

Next Article