Manipur Violence: મણિપુરમાં પોલીસની મોટી કાર્યવાહી, બદમાશોના 12 બંકર કર્યા નષ્ટ, હિંસા ભડકાવતા 135ની ધરપકડ

|

Jun 26, 2023 | 9:45 AM

રવિવારને મોડી રાત સુધીમાં સુરક્ષા દળોએ બદમાશોના 12 બંકરો નષ્ટ કર્યા હતા. અપરાધીઓએ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં આ બંકરો બનાવ્યા હતા. આ બાબતે એક નિવેદન જાહેર કરીને મણિપુર પોલીસે કહ્યું કે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળે સંયુક્ત રીતે તામેનલોંગ, પૂર્વ ઇમ્ફાલ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઓપરેશન મુજબ બદમાશોના 12 બંકરો નષ્ટ કરવામાં આવ્યા હતા.

Manipur Violence: મણિપુરમાં પોલીસની મોટી કાર્યવાહી, બદમાશોના 12 બંકર કર્યા નષ્ટ, હિંસા ભડકાવતા 135ની ધરપકડ
Major action of police in Manipur

Follow us on

Manipur News: મણિપુરમાં (Manipur) ફાટી નીકળેલી હિંસાને હવે બે મહિના જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ સ્થિતિ હજુ પણ તેમની તેમ જ છે. હજુ પણ ઘણા વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. તાજેતરમાં એક મંત્રીના ગોડાઉનમાં કેટલાક ઉગ્રવાદીઓ દ્વારા આગ લાગાવવામાં આવી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં 2-3 દિવસ સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી સુરક્ષા દળો બદમાશોને કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે.

બદમાશોના 12 બંકર નષ્ટ

ત્યારે આ પ્રયાસ હેઠળ, રવિવારેને મોડી રાત સુધીમાં સુરક્ષા દળોએ બદમાશોના 12 બંકરો નષ્ટ કર્યા હતા. અપરાધીઓએ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં આ બંકરો બનાવ્યા હતા. આ બાબતે એક નિવેદન જાહેર કરીને મણિપુર પોલીસે કહ્યું કે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળે સંયુક્ત રીતે તામેનલોંગ, પૂર્વ ઇમ્ફાલ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઓપરેશન મુજબ બદમાશોના 12 બંકરો નષ્ટ કરવામાં આવ્યા હતા.

સર્ચ ઓપરેશન દરમિયાન સાહુમફાઈ ગામના ડાંગરના ખેતરમાંથી પોલીસના જવાનોને ત્રણ 51 એમએમ મોર્ટાર અને ત્રણ 84 એમએમ મોર્ટાર શેલ મળી આવ્યા હતા. આ ઉપરાંત કાંગવાઈ અને એસ કોટલિયા ગામની વચ્ચે ડાંગરના ખેતરમાંથી પણ એક આઈઈડી મળી આવ્યો છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

દંગા ફેલાવવા બદલ 135ની ધરપકડ

હિંસા બાદથી મણિપુરની સ્થિતિ તંગ છે ત્યારે ગઈકાલના ઓપરેશન પહેલા પોલીસના જણાવ્યા અનુસાર કર્ફ્યુ ઉલ્લંઘન, ચોરી અને આગચંપીના મામલામાં 135 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં 1100 હથિયાર, 13702 દારૂગોળો, 250 વિવિધ પ્રકારના બોમ્બ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1100 હથિયાર, 13702 દારૂગોળો અને વિવિધ પ્રકારના 250 બોમ્બ મળી આવ્યા છે. હાલમાં અનેક વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે સ્થિતિ તંગ છે પરંતુ કેટલીક જગ્યાએ સ્થિતિ નિયંત્રણમાં છે. કેટલીક જગ્યાએ છૂટાછવાયા બનાવો બન્યા છે પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે.

આ પણ વાંચો: Manipur Violence: મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ, બદમાશોએ મંત્રીના ગોડાઉનમાં લગાવી આગ, જુઓ Video

રાજ્યમાં લોકોને સહકારની અપિલ

પોલીસે પણ સામાન્ય લોકોને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સહકાર આપવા અપીલ કરી છે. પોલીસે કહ્યું છે કે મણિપુરને લઈને અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, પહેલા સેન્ટ્રલ કંટ્રોલ રૂમ નંબર 9233522822 પર ફોન કરીને કોઈપણ સમાચારની ચકાસણી કરો. જો તેની સાથે કોઈ હથિયાર અને દારૂગોળો મળી આવે, તો તેને તરત જ પોલીસને પરત કરો.

અમિત શાહે કરી મહત્વની બેઠક

હિંસાની સ્થિતિને જોતા મણિપુર હિંસા પર ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક 3 કલાક સુધી ચાલી હતી જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠકમાં મણિપુરના સીએમ એન બિરને સિંહના રાજીનામાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી અને રાજ્યમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવા માટે કહેવામાં આવ્યું હતું. બેઠકમાં 18 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:44 am, Mon, 26 June 23

Next Article