Maharana Pratap Birth Anniversary : જાણો મહારાણા પ્રતાપના ભાલા વિશે, કહેવાય છે તેનુ વજન 81 કિલો હતુ

Maharana Pratap Jayanti: આજે અમે તમને જણાવીશું કે તેમના ભાલા, બખ્તર વગેરેનું વજન કેટલું હતું અને તેમના ભાલાના વજન અંગે ઇન્ટરનેટ પર કયા તથ્યો શેર કરવામાં આવે છે. આ પછી તમે સમજી શકશો કે મહારાણા પ્રતાપ (Maharana Pratap) ના હથિયારોનું વજન કેટલું હતું.

Maharana Pratap Birth Anniversary : જાણો મહારાણા પ્રતાપના ભાલા વિશે, કહેવાય છે તેનુ વજન 81 કિલો હતુ
Maharana Pratap Birth Anniversary
Image Credit source: File Photo
| Edited By: | Updated on: May 09, 2022 | 12:47 PM

સોશિયલ મીડિયા (Social Media) થી લઈને શહેર કે ગામની ગલી સુધી મહારાણા પ્રતાપની જન્મજયંતિ (Maharana Pratap Jayanti) ની ઉજવણી કરવામાં આવી રહી છે. મહારાણા પ્રતાપની જન્મજયંતિના અવસર પર લોકો સોશિયલ મીડિયા પર મહારાણા પર લખેલી ઘણી કવિતાઓ શેર કરી રહ્યા છે અને તેમની બહાદુરી અને બલિદાન વિશે વાત કરી રહ્યા છે. જ્યારે મહારાણા પ્રતાપની બહાદુરીની વાત કરવામાં આવે છે, ત્યારે હલ્દીઘાટીના યુદ્ધની, તેમના ઘોડા ચેતક અને તેમના શસ્ત્રોની વાત ચોક્કસપણે થાય છે. વાસ્તવમાં, તેમના ભાલા, બખ્તર વગેરેના વજનને લઈને ઇન્ટરનેટ પર ઘણા પ્રકારના તથ્યો શેર કરવામાં આવે છે, જેમાં ઘણા તથ્યો ખોટા પણ છે.

આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે તેમના ભાલા, બખ્તર વગેરેનું વજન કેટલું હતું અને તેમના ભાલાના વજન અંગે ઇન્ટરનેટ પર કયા તથ્યો શેર કરવામાં આવે છે. આ પછી તમે સમજી શકશો કે મહારાણા પ્રતાપના હથિયારોનું વજન કેટલું હતું.

ઇન્ટરનેટ પર શું કહેવામાં આવી રહ્યું છે?

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે મહારાણા પ્રતાપના ભાલાનું વજન 81 કિલો હતું અને તેમની છાતીનું બખ્તર 72 કિલો હતું. ત્યારે તેના ભાલા, બખ્તર, ઢાલ તેમજ બે તલવારોનું વજન પણ ઘણું વધારે હોવાનું કહેવાય છે. કહેવાય છે કે મહારાણા પ્રતાપ પોતાની સાથે લગભગ 208 કિલો વજન લઈને જતા હતા. આ સિવાય કેટલાક લોકો આ વજન 500 કિલો સુધી પણ જણાવે છે અને શસ્ત્રોના વજનને લઈને મહારાણા પ્રતાપની બહાદુરી વિશે પણ જણાવે છે.

વાસ્તવિકતા શું છે?

તમને જાણીને નવાઈ લાગશે કે વાસ્તવિકતા કંઈક બીજી જ છે. હા, તેમના ભાલાનું વજન 81 કિલો ન હતું, પરંતુ તેનાથી ઘણું ઓછું હતું. મહારાણા પ્રતાપના ભાલાના વજનનું સત્ય ઉદયપુરના સિટી પેલેસ મ્યુઝિયમમાં જોવા મળે છે. વાસ્તવમાં, મહારાણા પ્રતાપના શસ્ત્રો અહીં રાખવામાં આવ્યા છે અને તેમના વજન વિશે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. જણાવી દઈએ કે ઉદયપુર મ્યુઝિયમમાં એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મહારાણા પ્રતાપના અંગત હથિયારનું કુલ વજન 35 કિલો છે.

આપને જણાવી દઈએ કે મહારાણા પ્રતાપ માત્ર 35 કિલો વજન લઈને યુદ્ધના મેદાનમાં જતા હતા અને આ 35 કિલોમાં તેમનો ભાલો પણ સામેલ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે મહારાણા પ્રતાપના ભાલાનું વજન લગભગ 17 કિલો હતું. આ સંદર્ભમાં, ઉદયપુર ATO (સહાયક પ્રવાસન અધિકારી) જિતેન્દ્ર માલીએ પણ TV9 ને પુષ્ટિ આપી હતી કે મહારાણા પ્રતાપના કુલ હથિયારનું વજન 35 કિલો હતું, જેમાં ભાલાનો પણ સમાવેશ થાય છે.

હલ્દી ઘાટીના યુદ્ધ વિશે

એવું કહેવાય છે કે હલ્દી ઘાટીના યુદ્ધ દરમિયાન, મહારાણા પ્રતાપે તેમના ચેતક ઘોડા પર સવાર થઈને હાથમાં ભાલો લઈને હાથીના માથા સુધી કૂદીને વિરોધી પર હુમલો કર્યો. આ સિવાય ચેતકની છલાંગને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો પણ પ્રચલિત છે. આપને જણાવી દઈએ કે હલ્દીઘાટીની લડાઈમાં અકબરની સેના સામે મેવાડની સેના બહુ ઓછી હતી. આ પછી મેવાડની સેનાને પણ યુદ્ધમાં ઘણું નુકસાન થયું.

Published On - 12:47 pm, Mon, 9 May 22