Artificial leg for Animals: માનવોની જેમ પશુઓને પણ લગાડવામાં આવશે કૃત્રિમ પગ, આ રાજ્યએ કરી શરૂઆત

|

Oct 19, 2021 | 6:49 PM

Artificial leg for Animals: મધ્ય પ્રદેશના જબલપુરમાં દેશનું પહેલુ એવું સેંટર બની રહ્યું છે, જ્યાં પશુઓના કૃત્રિમ પગ બનાવવામાં આવશે. જે પશુઓના કલ્યાણ માટે એક સારી પહેલ માનવામાં આવી રહી છે

Artificial leg for Animals: માનવોની જેમ પશુઓને પણ લગાડવામાં આવશે કૃત્રિમ પગ, આ રાજ્યએ કરી શરૂઆત
Animals will be fitted with artificial legs

Follow us on

Artificial leg for Animals: માનવોની જેમ હવે પશુઓને પણ કૃત્રિમ પગ લગાવામાં આવશે. જેની શરૂઆત મધ્ય પ્રદેશએ (Madhya Pradesh)કરી છે. જબલપુરના નાનાજી દેશમુખ વૈટનરી યુનિવર્સિટીમાં પશુઓને આર્ટિફિશિયલ પગ લગાવા માટે બજાર માર્કેટિંગએ 2 કરોડ 17 લાખ રૂપિયા મંજુર કર્યા છે.

જણાવામાં આવી રહ્યું છે કે, મધ્ય પ્રદેશના જબલપુરમાં દેશનું પહેલુ એવું સેંટર બની રહ્યું છે, જ્યાં પશુઓના કૃત્રિમ પગ બનાવવામાં આવશે. જે પશુઓના કલ્યાણ માટે એક સારી પહેલ માનવામાં આવી રહી છે. નાનાજી દેશમુખ વૈટનરી યુનિવર્સિટીમાં કાર્યરત ડો. શોભા જાવરેએ જણાવ્યું કે, પશુઓ માટે કૃત્રિમ પગ (Artificial leg for Animals)બનાવાને લઈ 2016-17 થી વિચાર કરવામાં આવી રહ્યો છે.

તેઓએ આગળ જણાવ્યું કે, 3-4 વર્ષ પહેલા એક ગાયના વાછરડાને પગમાં ટ્યૂમર થયું હતું. ત્યાર બાદ તેના પગને કાપવામાં આવ્યો હતો. પગ કપાઈ જતાં વાછરડાને ચાલવામાં મુશ્કેલી આવવા લાગી, તેને જોતા નાનાજી દેશમુખ યુનિવર્સિટીના ડોક્ટરોએ વાછરડાને કૃત્રિમ પગ લગાડવાનું વિચાર્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહીંથી થઈ શરૂઆત
ત્યાર બાદ ડોક્ટરોએ રાજેશ અહિરવાર સાથે મુલાકાત કરી જે માનવો માટે નકલી પગ બનાવતા હતા. તેઓએ વાછરડા માટે કૃત્રિમ પગ બનાવ્યો જે ઘણા અંશે સફળ રહ્યો હતો. વાઈલ્ડ લાઈફ ડાયરેક્ટર ડો. શોભા જાવરેના મતે વર્તમાનમાં ચાર ગાયો (Cow)ના કૃત્રિમ પગ હાલ રાકેશ અહરિવાર પાસેથી બનાવામાં આવી રહ્યા છે. જેને તૈયાર કરીને જલ્દી જ એ ગાયોમાં લગાવામાં આવશે. જેમના પગ કપાઈ ગયા છે.

પશુઓને મળશે રાહત
આ સાથે જ નાનાજી દેશમુખ યુનિવર્સિટી એ પણ પ્રયત્ન્ન કરશે કે ગાય-બળદ સિવાય અન્ય નાના મોટા પશુઓને પણ કૃત્રિમ પગ લગાવામાં આવે. દેશમાં પહેલીવાર આવું સેંટર જબલપુરમાં હશે. જ્યાં ગાય-બળદ અને અન્ય પશુઓ માટે કૃત્રિમ પગ લગાવામાં આવશે. તેના માટે બજાર માર્કેટિંગએ નાનાજી દેશમુખ યુનિવર્સિટીને 2 કરોડ 17 લાખ રૂપિયા મંજુર કર્યા છે. આ બજેટમાં લગભગ 75 લાખ રૂપિયામાં બિલ્ડિંગ બનાવામાં આવશે. જ્યારે કૃત્રિમ પગ બનાવાનું સેંટર બની જશે ત્યારે એવા પશુઓને રાહત મળશે જેમના પગમાં કોઈને કોઈ મુશ્કેલી છે.

Published On - 6:48 pm, Tue, 19 October 21

Next Article