Gujarati NewsNationalKnow what the government has announced today for the farmers and workers under the aatmanirbhar bharat abhiyaan jano aaje fm nirmala sitharaman ae kyi kyi moti jaherat kheduto mate kri
જાણો મજૂરો અને ખેડૂતો માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?
દેશમાં 20 લાખ કરોડનું આર્થિક પેકેજનું આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સિતારમણ બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે અને આજે ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાના પ્રવાસી, ખેડૂતો, નાના ખેડૂતો માટે આજે મોટી જાહેરાત સરકાર કરવા માટે જઈ રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે […]
Follow us on
દેશમાં 20 લાખ કરોડનું આર્થિક પેકેજનું આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સિતારમણ બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે અને આજે ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાના પ્રવાસી, ખેડૂતો, નાના ખેડૂતો માટે આજે મોટી જાહેરાત સરકાર કરવા માટે જઈ રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે 25 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. ખેડૂતોને 4 લાખ કરોડ રુપિયાની મદદ લોનના માધ્યમથી કરવામાં આવી છે. રાજ્યોમાં આપદા ફંડની મંજૂરી આપવામાં આવી છે અને શહેરી વિસ્તારના ગરીબો માટે 11 હજાર કરોડ રુપિયાની મદદ કરવામાં આવી છે. શેલ્ટર હોમમાં લોકોને ફૂડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. 3 કરોડ ખેડૂતોને વ્યાજમાં રાહત આપવામાં આવી છે. કૃષિક્ષેત્રમાં 86600 કરોડ રુપિયાની લોનની ફાળવણી સરકારે કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જાણો સરકારે આજે કઈ કઈ મોટી જાહેરાત કરી?
પ્રવાસી મજૂરોને ગામ પંચાયત દ્વારા મનરેગામાં કામ આપવામાં આવી રહ્યું છે. રજિસ્ટ્રેશનમાં 50 ટકા વધારો નોંધાયો છે. એક દિવસની 202 રુપિયા મજૂરી આપવામાં આવશે. 2.33 કરોડ મજૂરને કામ આપવામાં આવ્યું છે.
ન્યૂનતમ વેતન મજૂરોને મળી શકે છે તે માટે પ્રયાસો થઈ રહ્યાં છે અને સંસદમાં આ અંગે ચર્ચા ચાલી રહી છે. તમામ કર્મચારીઓનું વાર્ષિક હેલ્થ ચેકઅપ કરવામાં આવે તેવી યોજના છે. શ્રમ કાયદામાં બદલાવ કરવામાં આવી રહ્યો છે.
10થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં ESIની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકાર એક દેશ, એક રાશન કાર્ડ યોજના પર કામ કરી રહી છે અને તેના લીધે દેશમાં ક્યાંય પણ લોકો અનાજ લઈ શકશે.
8 કરોડ પ્રવાસી મજૂરો માટે સરકારે 2 મહિનામાં મફત અનાજ મળી રહી તે માટે 3500 કરોડ રુપિયાનું પ્રાવધાન કર્યું છે. જેમાં 5-5 કિલો ઘઉં અને ચોખા, 1 કિલો ચણા આગામી 2 મહિના સુધી મળી શકશે. તમામ ખર્ચ કેન્દ્ર સરકાર જ ઉઠાવશે.
પ્રવાસી મજૂરો માટે ઓછા ભાડામાંં ઘર ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના આ કાર્ય કરવામાં આવશે.
શિશુ મુદ્રા લોનમાં વિશેષ રાહત સરકારે આપી છે. 50 હજાર રુપિયા સુધીની લોન હશે વ્યાજમાં 12 મહિના સુધી રાહત આપવામાં આવશે. કુલ 1500 કરોડ રુપિયાની ફાળવણી સરકારે કરી છે.
મધ્યમવર્ગીય લોકો જેની આવક 6થી 18 લાખ છે તેમને ઘરની લોન પર ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ આપવામાં આવી રહી છે તેને માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે.
Rs 30,000 crores additional emergency working capital funding through NABARD; 3 crore farmers to benefit: FM #NirmalaSitharaman#TV9News