કેરળ હાઈકોર્ટે સીરમ ઈન્સ્ટિટ્યૂટને ₹10 કરોડના વળતરની અરજી પર નોટિસ ફટકારી, રસી થયા બાદ લકવો થયાનો હતો આરોપ

|

Nov 18, 2022 | 8:20 PM

અરજીમાં માર્ચ 2021માં કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધા પછી લકવાગ્રસ્ત વ્યક્તિની પત્ની દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું કે જે દિવસે તેને રસી આપવામાં આવી હતી તે જ દિવસે તેના પતિને ખૂબ તાવ આવ્યો હતો અને ત્યારપછી તેની હાલત સતત બગડતી રહી હતી.

કેરળ હાઈકોર્ટે સીરમ ઈન્સ્ટિટ્યૂટને  ₹10 કરોડના વળતરની અરજી પર નોટિસ ફટકારી, રસી થયા બાદ લકવો થયાનો હતો આરોપ
Kerala High Court, Serum Institute

Follow us on

કેરળ હાઈકોર્ટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે, ઘટના કંઈક એવી છે કે કેરળમાં કોવિશિલ્ડ રસીનાને કારણે એક વ્યક્તિને લકવો થયો મામલો સામે આવ્યો છે, દાવો કરનાર વ્યક્તિ માટે વળતરની માંગણી કરતી અરજી પર નોટિસ જાહેર કરી હતી. અરજીમાં કોવિશિલ્ડ રસીના નિર્માતા પાસેથી રૂ. 10 કરોડના વળતરની માંગણી કરવામાં આવી હોવાથી ન્યાયમૂર્તિ વીજી અરુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પણ નોટિસ ફટકારી છે.

અરજીમાં માર્ચ 2021માં કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધા પછી લકવાગ્રસ્ત વ્યક્તિની પત્ની દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું કે જે દિવસે તેને રસી આપવામાં આવી હતી તે જ દિવસે તેના પતિને ખૂબ તાવ આવ્યો હતો અને ત્યારપછી તેની હાલત સતત બગડતી રહી હતી. મહિલાએ કહ્યું કે પતિને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યો હતો અને વિવિધ તબીબી પરીક્ષણો અને સારવાર કરવામાં આવી હતી. ઘણા ડોકટરોએ તેની બિમારીનું નિદાન કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તબીબી સમસ્યાનું ચોક્કસ કારણ શું હતું તે કોઈ શોધી શકાયુ નથી. હવે તેના પતિ સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અરજીમાં જણાવાયું છે કે અરજદારે તેના પતિની તબીબી સારવાર અને તેના પતિની સ્થિતિને કારણે તેણીને થતી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મહિલાએ આ ફરિયાદ સાથે જિલ્લા તબીબી અધિકારીનો સંપર્ક કર્યો હતો. સત્તાવાળાઓ તરફથી કોઈ કાર્યવાહી ન થઈ હોવાથી અરજદારે અરજદાર અને તેના પતિને વળતર અને નાણાકીય સહાય માટે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. અરજદારનું પ્રતિનિધિત્વ એડવોકેટ પીવી જીવેશ અને માનસી ધીરજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર દલીલ સાંભળ્યા બાદ કોર્ટે કોવિશિલ્ડ રસીના નિર્માતા પાસેથી રૂ. 10 કરોડના વળતરની માંગણી કરવામાં આવી હોવાથી ન્યાયમૂર્તિ વીજી અરુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે.

Next Article