Karnataka: ડીકે શિવકુમાર કે સિદ્ધારમૈયા ? આજે ઊંચકાશે પડદો, કોંગ્રેસ સરકાર રચવા અંગે લેશે નિર્ણય

|

May 16, 2023 | 8:48 AM

એવું માનવામાં આવે છે કે સિદ્ધારમૈયા લગભગ કર્ણાટકના સીએમ બનશે. બીજી તરફ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવતા સિદ્ધારમૈયા સોમવારે જ દિલ્હી પહોંચી ગયા હતા, પરંતુ શિવકુમાર તબિયત ખરાબ હોવાના કારણે દિલ્હી આવી શક્યા ન હતા.

Karnataka: ડીકે શિવકુમાર કે સિદ્ધારમૈયા ? આજે ઊંચકાશે પડદો, કોંગ્રેસ સરકાર રચવા અંગે લેશે નિર્ણય
Karnataka Assembly Election

Follow us on

કર્ણાટકની રાજનીતિમાં મંગળવારનો દિવસ મહત્વનો બનવા જઈ રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમાર મંગળવારે દિલ્હી આવશે. ડીકે શિવકુમારની કોંગ્રેસ (Congress) હાઈકમાન્ડ સાથે બેઠક દેશની રાજધાનીમાં થવાની છે. આ બેઠકમાં કર્ણાટકમાં સરકાર રચવા અંગે ચર્ચા થશે. ડીકે શિવકુમારના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશે આ માહિતી આપી છે. 224 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસના ખાતામાં 135 બેઠકો છે, જ્યારે બહુમત માટે 113 બેઠકોની જરૂર છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંનેને દિલ્હી બોલાવ્યા

ડીકે શિવકુમાર હાલમાં તેમના નિવાસસ્થાને છે. તેઓ સવારે 9.30 કલાકે એરપોર્ટ જવા રવાના થશે. તેમણે સવારે 10 વાગ્યાની આસપાસ દિલ્હી માટે 3 ફ્લાઈટ બુક કરાવી છે. તે આમાંથી કોઈપણમાંથી જઈ શકે છે. વાસ્તવમાં કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે રેસ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંનેને દિલ્હી બોલાવ્યા. આ બંને લોકો સીએમ બનવાની રેસમાં સૌથી આગળ છે.

સિદ્ધારમૈયા લગભગ કર્ણાટકના સીએમ બનશે

જો કે હવા સિદ્ધારમૈયાની તરફેણમાં ફૂંકાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે સિદ્ધારમૈયા લગભગ કર્ણાટકના સીએમ બનશે. બીજી તરફ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવતા સિદ્ધારમૈયા સોમવારે જ દિલ્હી પહોંચી ગયા હતા, પરંતુ શિવકુમાર તબિયત ખરાબ હોવાના કારણે દિલ્હી આવી શક્યા ન હતા.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

આ પણ વાંચો : Karnataka BJP: કર્ણાટકમાં હાર બાદ ભાજપ કેવી રીતે વાપસી કરશે? રાજસ્થાન-એમપી સહિત ચાર રાજ્યોમાં ચૂંટણી માટે રણનીતિ બદલી

ડીકે સુરેશ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા

કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશ સોમવારે સાંજે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ બેઠક દિલ્હીમાં ખડગેના નિવાસસ્થાને થઈ હતી. મીટિંગ પૂરી થયા પછી ડીકે સુરેશે પત્રકારો સાથે વાત કરી, જેમાં તેમણે જણાવ્યું કે ડીકે શિવકુમાર મંગળવારે દિલ્હી આવશે. વાસ્તવમાં, પત્રકારોએ પૂછ્યું કે ડીકે શિવકુમાર ક્યારે દિલ્હી આવી રહ્યા છે. જેના જવાબમાં ડીકે સુરેશે કહ્યું, ‘હા, તે કાલે આવી રહ્યા છે.’

વાસ્તવમાં સોમવારે પણ મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી શકી નથી. મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. આવી સ્થિતિમાં ડીકે શિવકુમાર માટે આજે દિલ્હી પહોંચવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટી હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ સીએમના નામ પર મહોર લાગી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article