આજે તે સમય આવી ગયો છે. જેનો દેશ દાયકાઓથી રાહ જોઈ રહ્યો છે. આજે અયોધ્યામાં રામમંદિર નિર્માણના ભૂમિપૂજનનો સમારોહ આયોજિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને સાધુ-સંતો સહિત ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે અમે તમને રામમંદિર ભૂમિપૂજનને લઈને કેટલાક અજાણ્યા તથ્યો વિશે જણાવીશું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મંદિર નિર્માણ માટે દેશમાંથી લગભગ 1,500 પવિત્ર અને ઐતિહાસિક સ્થળોની માટી તથા 100થી વધારે પવિત્ર નદીઓ અને કુંડનું પાણી આવી ચૂક્યુ છે. ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, સિંધુ, બ્રહ્મપુત્ર, સતલુજ, રાવી, ચિનાવ અને વ્યાસ સહિત અન્ય નદીઓનું પવિત્ર જળ પણ અયોધ્યા મોકલ્યુ છે.
તેની સાથે જ હલ્દીઘાટી, ચિતોડ, દુર્ગ, સુવર્ણ મંદિરના કુંડનું જળ અને માટી, વૈષ્ણોદેવી, મેસેકર ઘાટી, તમામ જ્યોતિર્લિંગોના પ્રાંગણની માટી મોકલવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન મોદી ભૂમિપૂજનમાં જે ચાંદીની ઈંટ મુકવાના છે, તેનું વજન 22.6 કિલો છે. જેની કિંમત 14.60 લાખ રૂપિયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 4:59 am, Wed, 5 August 20