Jammu kashmir News: જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજોની શાન કઈ રીતે ઠેકાણે આવી ખબર છે? વાંચો કઈ સ્ટ્રેટેજીથી પથ્થરબાજીની ઘટના શૂન્ય થઈ ગઈ

|

Jun 23, 2023 | 12:15 PM

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી સ્ટ્રેટેજીને લઈ ટેરર ફંડિંગથી લઈ યુવાનોના હાથમાંથી પથ્થરતો છુટી ગયા સાથે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓની અપેક્ષાઓ ધુળમાં મળી ગઈ છે.

Jammu kashmir News: જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજોની શાન કઈ રીતે ઠેકાણે આવી ખબર છે? વાંચો કઈ સ્ટ્રેટેજીથી પથ્થરબાજીની ઘટના શૂન્ય થઈ ગઈ
Jammu kashmir News

Follow us on

જમ્મુ કાશ્મીરની અગર હવે વાત કરીએ તો ત્રાસવાદીઓની જેમ તેના ભ્રમિત થયેલા યુવાનો ધીરધીરે પાટા પર આવી રહ્યા છે. વાત કરી રહ્યા છે એ પથ્થરબાજોની કે જેને લઈને જમ્મુ કાશ્મીરમાં એટલી હદે અરાજક્તા ફેલાઈ હતી કે પ્રવાસીઓની સંખ્યામાં તો ઘટાડો થઈ જ ગયો હતો પણ દેશની સેનાના જવાનો પર હુમલાની ઘટનામાં પણ સતત વધારો નોંધાયો હતો.

કાશ્મીરમા અલગતાવાદીઓએ એ રીતે પગદંડો જમાવ્યો હતો

પાકિસ્તાનના ઈશારે કાશ્મીરમા અલગતાવાદીઓએ એ રીતે પગદંડો જમાવ્યો હતો કે જેને લઈને યુવાનોના હાથમાં પથ્થર આવી ગયા હતા અને ટેરર ફંડિગના કારણે આવી ઘટનાઓ અટકવાનું નામ નોહતુ લઈ રહી પણ 370 આર્ટિકલ નાબુદ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી સ્ટ્રેટેજીને લઈ ટેરર ફંડિંગથી લઈ યુવાનોના હાથમાંથી પથ્થરતો છુટી ગયા સાથે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓની અપેક્ષાઓ ધુળમાં મળી ગઈ છે.

કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનામાં કઈ રીતે ઘટાડો થયો

કાશ્મીરમાં વર્ષ 2008ના સમયગાળાથી પાકિસ્તાનના ઈશારે પથ્થરમારાની ઘટના ચાલી રહી હતી જો કે 2020 આવતા સુધીમા તેમા સતત ઘટાડો થવા લાગ્યો કેમકે ભારતીય કરન્સી ડિમોનીટાઈઝેશનને લઈ આતંકવાદીઓના હાથમાં કેશ ફ્લો માં ઘટાડો તેમજ એક સૂત્ર પ્રમાણેની માહિતિ મુજબ પાકિસ્તાનની ISI દ્વારા 800 કરોડ જેટલી રકમ પથ્થરબાજો અને આતંકવાદને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે જ આપવામાં આવી હતી જો કે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિને લઈ 2020થી લઈ 2023 આવતા સુધીમાં આવી ઘટના શુન્ય પર પોહચી ગઈ છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

કાશ્મીરમાં હવે પથ્થરબાજી નહી કેમેરાની ક્લિકના અવાજ

કાશ્મીરમાં પથ્થરબાજોની શાન ઠેકાણે આવ્યા બાદ યુવાનો સમજી રહ્યા છે કે વિકાસથી જ આગળ વધી શકાશે અને તેમના ધાર્મિક કટ્ટરવાદ દુર થવાને લઈ હવે પ્રવાસીઓમાં સવાર થયેલો ડર દુર થવા લાગ્યો છે અને એ જ કારણ છે કે વર્ષ 2016માં 2600 કરતા વધારે પથ્થરબાજીની ઘટના નોંધાઈ હતી જે 2023માં શુન્ય થઈ ગઈ.

જે પણ પથ્થરબાજો પકડાતા હતા તેમને અન્ય રાજ્યની જેલમાં મોકલી દેવામાં આવતા હતા અને તેની પણ અસર ખાસ્સી જોવા મળી. જે યુવાનોએ પોતાની આંખ ગુમાવી કે પરિવારથી વિખુટા પડી ગયા તે સમજી ગયા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરી જતા કાશ્મીરમાં પ્રવાસીઓ વધ્યા અને આતંકવાદી પ્રવૃતિઓ પર લગામ લાગી ગઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની હરકતોથી બચી રહ્યા નથી. ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે સરહદે ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છે. આ એપિસોડમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કુપવાડાના મચ્છલ સેક્ટરના કાળા જંગલમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે સુરક્ષા દળોએ તેનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને તેને મારી નાખ્યા.

આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની હરકતોથી બચી રહ્યા નથી. ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે સરહદે ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છે. આ એપિસોડમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કુપવાડાના મચ્છલ સેક્ટરના કાળા જંગલમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે સુરક્ષા દળોએ તેનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને તેને મારી નાખ્યા.

Next Article