Jammu Kashmir: અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ

|

Dec 24, 2021 | 8:40 AM

રવિવારે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. જે તાજેતરમાં બાંદીપોરામાં માર્યા ગયેલા બે પોલીસકર્મીઓની હત્યા સહિત અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો.

Jammu Kashmir: અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ
Symbolic Image

Follow us on

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદી(Terrorist)ઓ વચ્ચે અથડામણ (Encounter) શરૂ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે (Kashmir Police) ટ્વિટ કર્યું કે આ એન્કાઉન્ટર અરવાની વિસ્તારમાં શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો સ્થળ પર તૈનાત છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. 

 

રવિવારે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. જે તાજેતરમાં બાંદીપોરામાં માર્યા ગયેલા બે પોલીસકર્મીઓની હત્યા સહિત અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. પોલીસે કહ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ હરવનમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

બુધવારે જ, કાશ્મીર ખીણમાં થોડી જ મિનિટોમાં બનેલી બે અલગ-અલગ આતંકવાદી ઘટનાઓમાં એક નાગરિક અને એક પોલીસકર્મી માર્યા ગયા હતા. એક તરફ, શ્રીનગરના નવાકદલમાં આતંકવાદીઓ દ્વારા એક નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં હુમલામાં પોલીસના એક સહાયક સબ-ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું હતું. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ બુધવારે સાંજે લગભગ 5:55 વાગ્યે શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં રઉફ અહેમદ નામના વ્યક્તિને તેના ઘર પાસે ગોળી મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને અહીંની SMHS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. 

આ ઘટનાના થોડા સમય બાદ બનેલી ઘટનામાં આતંકવાદીઓએ બિજબેહરા હોસ્પિટલની બહાર પોલીસ એએસઆઈ મોહમ્મદ અશરફને ગોળી મારી હતી, જેમાં તે ઘાયલ થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. એએસઆઈને તે જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને શ્રીનગરના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અશરફનું મોત થયું હતું.

Published On - 7:04 am, Fri, 24 December 21

Next Article