રેલવેની સહાયક કંપની IRCTCએ 3 ટ્રેનનું સંચાલન 30 એપ્રિલ સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ચાલી રહેલી ત્રણ ટ્રેનો વારાણસી-ઈન્દોર માર્ગ પર ચાલતી કાશી મહાકાલ એક્સપ્રેસ, લખનઉં-નવી દિલ્હી તેજસ અને અમદાવાદ-મુંબઈ તેજસનું બુકિંગ આ પહેલા માત્ર 25 માર્ચથી 15 એપ્રિલ સુધી રોકવામાં આવ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આ સમયમાં દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લોકડાઉન પછી બુકિંગની પરવાનગી આપવામાં આવી હતી. ત્યારે અધિકારીઓનું કહેવું છે કે દેશમાં દરરોજ કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી ટ્રેન ના ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભારતીય રેલવે કેટરીંગ અને ટુરિઝમ કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું કે જે યાત્રીઓએ આ સમયમાં મુસાફરી કરવામાં માટે ટિકિટ બુક કરાવી છે, તે રિફંડ લઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:11 am, Wed, 8 April 20