
કોંગ્રેસે 1931માં રજુ કરેલા ત્રિરંગામાં ફેરફાર કરીને બંધારણસભા દ્વારા 22 જુલાઈ 1947ના રોજ ત્રિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો.

બહુ ઓછા લોકો જાણતા હશે કે ,ભારતના ધ્વજની રચનામાં મહાત્મા ગાંધીની પણ ભૂમિકા હતી. સફેદ રંગ અને ચરખો એ ગાંધીજીના સૂચન પર જ પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇનમાં સમાવ્યા હતા.

1947 પહેલા ત્રિરંગામાં અશોકચક્રની જગ્યાએ ચરખો હતો અને આ ચરખો આઝાદીની લડતના 30 વર્ષનું પ્રતીક માનવામાં આવતુ હતું.

ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ તાકાત અને સાહસનું પ્રતિક છે અને સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતિક છે.જ્યારે લીલો રંગ દેશના વિકાસ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે,ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ 3:2 છે.

રાષ્ટ્રધ્વજના મધ્યસ્થ સ્થાનમાં શૌર્યના પ્રતીક સમાન અશોક ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. આ ચક્રને સમ્રાટ અશોકના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. અને વાદળી રંગના આ ચક્રને ધર્મચક્ર પણ કહેવામાં આવે છે. જે ભારતની વિશાળ સરહદોનું પ્રતીક માનવામાં આવે છે.
Published On - 3:44 pm, Thu, 22 July 21