Indian Flag: ભારતમાં આજના દિવસે રાષ્ટ્રધ્વજની કરવામાં આવી હતી પસંદગી, જાણો રાષ્ટ્રધ્વજમાં કેવા કેવા કરાયા હતા ફેરફાર

|

Jul 27, 2022 | 5:32 PM

ભારતમાં આજના દિવસે આઝાદી પૂર્વે 22 જુલાઈ 1947 ના રોજ ત્રિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, આઝાદી પુર્વે જ બંઘારણસભા દ્વારા કામગિરી શરૂ કરવામાં આવી હતી. જેથી ભારતની આઝાદીના 23 દિવસ અગાઉ જ રાષ્ટ્રધ્વજને માન્યતા મળી હતી.

1 / 8
ભારતમાં 22 જુલાઈ, 1947 ના રોજ બંધારણ સભાએ ત્રિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો.

ભારતમાં 22 જુલાઈ, 1947 ના રોજ બંધારણ સભાએ ત્રિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો.

2 / 8
 ભારતને 15 ઓગસ્ટ 1947માં આઝાદી મળી હતી.પરંતુ તે પહેલાં જ  દેશની બંધારણ સભાએ કાર્ય કરવાનું શરૂ કરી દીધું હતું.જેથી, આઝાદીના 23 દિવસ પહેલા જ બંધારણ સભાએ ત્રિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો.

ભારતને 15 ઓગસ્ટ 1947માં આઝાદી મળી હતી.પરંતુ તે પહેલાં જ દેશની બંધારણ સભાએ કાર્ય કરવાનું શરૂ કરી દીધું હતું.જેથી, આઝાદીના 23 દિવસ પહેલા જ બંધારણ સભાએ ત્રિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો.

3 / 8
ભારતના રાષ્ટ્રધ્વજની રચના કરવામાં સ્વતંત્રતા સેનાની પિંગાલી વેંંકૈયાનું  મહત્વનું યોગદાન હતું. પિંગાલી વેંકૈયાએ 1916 થી 1921 દરમિયાન 30 દેશોના રાષ્ટ્રધ્વજનું ઉંડાણપૂર્વક સંશોધન કર્યું હતું અને 1921 માં તેમણે કોંગ્રેસના અધિવેશનમાં  રાષ્ટ્રધ્વજ રજૂ કર્યો. જે  ધ્વજની ડિઝાઇનમાં મુખ્યત્વે લાલ અને લીલો રંગ હોય હતો. તેમાં લાલ રંગ હિન્દુને સમુદાયને અને લીલો રંગ મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ હતું.

ભારતના રાષ્ટ્રધ્વજની રચના કરવામાં સ્વતંત્રતા સેનાની પિંગાલી વેંંકૈયાનું મહત્વનું યોગદાન હતું. પિંગાલી વેંકૈયાએ 1916 થી 1921 દરમિયાન 30 દેશોના રાષ્ટ્રધ્વજનું ઉંડાણપૂર્વક સંશોધન કર્યું હતું અને 1921 માં તેમણે કોંગ્રેસના અધિવેશનમાં રાષ્ટ્રધ્વજ રજૂ કર્યો. જે ધ્વજની ડિઝાઇનમાં મુખ્યત્વે લાલ અને લીલો રંગ હોય હતો. તેમાં લાલ રંગ હિન્દુને સમુદાયને અને લીલો રંગ મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ હતું.

4 / 8
 કોંગ્રેસે  1931માં રજુ કરેલા ત્રિરંગામાં ફેરફાર કરીને બંધારણસભા દ્વારા  22 જુલાઈ 1947ના રોજ  ત્રિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસે 1931માં રજુ કરેલા ત્રિરંગામાં ફેરફાર કરીને બંધારણસભા દ્વારા 22 જુલાઈ 1947ના રોજ ત્રિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો.

5 / 8
બહુ ઓછા લોકો જાણતા હશે કે ,ભારતના ધ્વજની રચનામાં મહાત્મા ગાંધીની પણ ભૂમિકા હતી. સફેદ રંગ અને ચરખો એ ગાંધીજીના સૂચન પર જ પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇનમાં સમાવ્યા હતા.

બહુ ઓછા લોકો જાણતા હશે કે ,ભારતના ધ્વજની રચનામાં મહાત્મા ગાંધીની પણ ભૂમિકા હતી. સફેદ રંગ અને ચરખો એ ગાંધીજીના સૂચન પર જ પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇનમાં સમાવ્યા હતા.

6 / 8
1947 પહેલા ત્રિરંગામાં અશોકચક્રની જગ્યાએ ચરખો હતો અને આ ચરખો આઝાદીની લડતના 30 વર્ષનું પ્રતીક માનવામાં આવતુ હતું.

1947 પહેલા ત્રિરંગામાં અશોકચક્રની જગ્યાએ ચરખો હતો અને આ ચરખો આઝાદીની લડતના 30 વર્ષનું પ્રતીક માનવામાં આવતુ હતું.

7 / 8
ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ તાકાત અને સાહસનું પ્રતિક છે અને  સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતિક છે.જ્યારે લીલો રંગ દેશના વિકાસ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે,ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ 3:2 છે.

ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ તાકાત અને સાહસનું પ્રતિક છે અને સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતિક છે.જ્યારે લીલો રંગ દેશના વિકાસ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે,ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ 3:2 છે.

8 / 8
રાષ્ટ્રધ્વજના મધ્યસ્થ સ્થાનમાં શૌર્યના પ્રતીક સમાન અશોક ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. આ ચક્રને સમ્રાટ અશોકના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. અને વાદળી રંગના આ ચક્રને ધર્મચક્ર પણ કહેવામાં આવે છે. જે ભારતની વિશાળ સરહદોનું પ્રતીક માનવામાં આવે છે.

રાષ્ટ્રધ્વજના મધ્યસ્થ સ્થાનમાં શૌર્યના પ્રતીક સમાન અશોક ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. આ ચક્રને સમ્રાટ અશોકના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. અને વાદળી રંગના આ ચક્રને ધર્મચક્ર પણ કહેવામાં આવે છે. જે ભારતની વિશાળ સરહદોનું પ્રતીક માનવામાં આવે છે.

Published On - 3:44 pm, Thu, 22 July 21

Next Photo Gallery