Corona Virus: ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 1.07 લાખ નવા દર્દીઓ સામે આવ્યા

|

Feb 06, 2022 | 12:23 PM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય(Union Health Ministry)ના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા ઘટીને 12.25 લાખ થઈ ગઈ છે.

Corona Virus: ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 1.07 લાખ નવા દર્દીઓ સામે આવ્યા
Symbolic photo

Follow us on

Coronavirus: ભારતમાં કોરોના વાઈરસ (Coronavirus)ના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં રોગચાળાથી વણસી ગયેલી પરિસ્થિતિ હવે ધીરે ધીરે સુધરી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોવિડ-19 (Covid-19)ના 1,07,474 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 865 દર્દીઓના મોત થયા છે. મૃત્યુના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં સંક્રમણના કારણે મૃત્યુઆંક વધીને 5,01,979 થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry)ના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા ઘટીને 12.25 લાખ થઈ ગઈ છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, શનિવારે દેશભરમાં 2,13,246 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, ત્યારબાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 4,04,61,148 થઈ ગઈ છે. સક્રિય કેસોની સંખ્યા હાલમાં 12,25,011 છે, જે કુલ કેસના 2.90 ટકા છે. તે જ સમયે, દૈનિક પોઝિટિવિટી દર 7.42 ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટ 10.20 ટકા છે. દેશમાં રિકવરી રેટ હવે 95.91 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે, ભારતમાં શનિવારે કોરોના વાયરસ માટે 14,48,513 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો વધીને 74,01,87,141 થઈ ગયો છે.

રસીકરણનો કુલ આંકડો 169.46 કરોડને વટાવી ગયો

જો આપણે કોવિડ -19 રસીકરણ (Covid-19 Vaccination)ના ડેટા વિશે વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 169.46 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે દેશભરમાં 45,10,770 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી અહેવાલ મુજબ ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને 1,69,46,26,697 થઈ ગયો છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને દેશમાં 1.47 કરોડ (1,47,27,674)થી વધુ પ્રિસ્ક્રિપ્શન ડોઝ (બૂસ્ટર ડોઝ) આપવામાં આવ્યા છે.

મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષના લોકોને 54,46,63,377 પ્રથમ ડોઝ અને 41,56,19,074 સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.  ફ્રન્ટલાઈન વર્કર્સ (FLWs)નું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું.

પ્રિકૉશન ડોઝનું રસીકરણ 10 જાન્યુઆરીથી શરૂ થયું

સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણ કરવાની મંજૂરી આપીને તેના રસીકરણ અભિયાનને વિસ્તારવાનું નક્કી કર્યું. 15-18 વર્ષની વયના લોકો માટે રસીકરણ અભિયાનનો આગળનો તબક્કો આ વર્ષે 3 જાન્યુઆરીએ શરૂ થયો હતો.

આ પણ વાંચો : લતા મંગેશકરને 2001માં મળ્યો ભારત રત્ન, જાણો કેવી રીતે થાય છે પસંદગી અને કયું છે દેશનું સર્વોચ્ચ સન્માન

Next Article