ભારતે ચીનની દુખતી નસ પર મુક્યો હાથ, UNમાં ઉઠાવ્યો આ મુદ્દો

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં હોંગકોંગનો મુદ્દો ઉઠાવી ચીનની દુ:ખતી નસ પર હાથ મુકી દીધો છે. ચીન તરફથી હોંગકોંગ વિશેષ વહીવટી ક્ષેત્ર (SAR) માટે એક વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પાસ કરવાને લઈ ભારતે UNની સામે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભારતનું કહેવું છે કે હોંગકોંગમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ રહે છે. આવી સ્થિતિમાં ચીનના આ પગલાથી આ […]

ભારતે ચીનની દુખતી નસ પર મુક્યો હાથ, UNમાં ઉઠાવ્યો આ મુદ્દો
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:02 PM

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં હોંગકોંગનો મુદ્દો ઉઠાવી ચીનની દુ:ખતી નસ પર હાથ મુકી દીધો છે. ચીન તરફથી હોંગકોંગ વિશેષ વહીવટી ક્ષેત્ર (SAR) માટે એક વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પાસ કરવાને લઈ ભારતે UNની સામે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભારતનું કહેવું છે કે હોંગકોંગમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ રહે છે. આવી સ્થિતિમાં ચીનના આ પગલાથી આ વૈશ્વિક નાણાકીય કેન્દ્રની સ્વતંત્રતા અને સ્વાયતતાને નુકસાન થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાઈ પ્રતિનિધિ રાજીવ.કે.ચંદરે કહ્યું કે હોંગકોંગને મોટી સંખ્યામાં ભારતીય સમુદાયે ઘર બનાવ્યું છે. અમે હોંગકોંગમાં થઈ રહેલી ઘટનાક્રમોને લઈ ચિંતાજનક વાતો સાંભળી છે. અમે આશા રાખીએ છે કે આ મુદ્દાથી સંબંધિત તમામ પક્ષ ધ્યાન આપશે અને તેનું ખુબ જ ગંભીરતાપૂર્ણ રીતે સમાધાન કાઢવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શું છે વિવાદિત કાયદો

ચીનનો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો હોંગકોંગમાં સૌથી સુપ્રીમ કાયદો હશે. તેની પર ત્યાંની સ્થાનિક સરકારનો કોઈ કંટ્રોલ નહીં હોય. રાજ્યના અધિકારી આ કાયદાને લઈ કોઈ રોલમાં નહીં હોય. આ કાયદામાં આતંકવાદને નવી રીતે પરિભાષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજનીતિક ઉદ્દેશ્યોને લીધે દબાણ બનાવવા માટે કરવામાં આવેલા પ્રદર્શનોમાં સાર્વજનિક સંપતિને જો નુકસાન પહોંચાડવામાં આવે છે તો આ કામને આતંકવાદની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઘટનાઓની ઉપર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ થશે. આંતરિક મુદ્દાઓમાં વિદેશી હસ્તક્ષેપની વિરૂદ્ધ, ખુબ જ ગંભીર મુદ્દાઓ, રાષ્ટ્રીય સુરક્ષા માટે થતાં સંબંધમાં આ કાયદાનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ કાયદા હેઠળ ગંભીર ગુનેગારોને આજીવન કારાવાસ અથવા ન્યૂનતમ 10 વર્ષની સજા થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:39 am, Thu, 2 July 20