
સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે ‘સપ્તધારા’નું આહ્વાન કર્યુ હતુ. તેમણે કહ્યું કે દેશને નવી દિશામાં આગળ વધવા માટે નવી ધારાની જરૂર છે. ભારતે નાના પુર્જાથી લઈને મોટા પ્રોડક્ટ સુધીનું ઉત્પાદન દેશમાં જ કરવાની દિશામાં આગળ વધવું પડશે.
PM મોદીએ ભાર મૂક્યો કે ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે કોસ્ટ, ક્વોલિટી અને સ્કેલ પર ખાસ ધ્યાન આપવું પડશે. ઉત્પાદન માત્ર ભારતમાં થાય એટલું જ નહીં, પરંતુ તેની ગુણવત્તા વૈશ્વિક સ્તરની હોય અને મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વિકસાવવી પડશે.
સપ્તધારા એ વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે વડાપ્રધાને સાત મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી તે સાત કેન્દ્રોને પીએમ એ સપ્તધારાનું નામ આપ્યું છે. તે સપ્તધારા મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન, ટેક્નોલોજી અને ઇનોવેશન, ગતિ શક્તિ અને ફાસ્ટ કનેક્ટિવિટી, રક્ષા શક્તિ, ગ્રીન ઇકોનોમી અને બ્લૂ ઇકોનોમી અને ભારતની સોફ્ટ પાવર છે.
દેશમાં નાના ભાગોથી લઈને મોટા ઉત્પાદનો સુધીનું ઉત્પાદન વધારવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાનો ભાર.
કૃષિને આધુનિક બનાવવાની સાથે ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપી કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન વધારવાની દિશા.
નવી ટેક્નોલોજી, સંશોધન અને ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ભારતને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ સક્ષમ બનાવવાનો ઉદ્દેશ.
રોડ, રેલ, બંદરો, એરપોર્ટ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપી અને વધુ સારી કનેક્ટિવિટી સાથે જોડવા પર ભાર.
ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા અને ભારતની રક્ષા ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ધ્યાન.
સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને સમુદ્રી સંસાધનોના યોગ્ય ઉપયોગ સાથે ટકાઉ વિકાસને પ્રોત્સાહન.
ભારતની સંસ્કૃતિ, પરંપરા, યોગ, જ્ઞાન અને વૈશ્વિક પ્રભાવને વધુ મજબૂત બનાવી વિશ્વમાં ભારતની સોફ્ટ પાવર વધારવા પર ભાર.
PM મોદીના આ સંદેશમાં ઉત્પાદનથી લઈને ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રક્ષા, પર્યાવરણ અને સોફ્ટ પાવર સુધીના ક્ષેત્રોને એકસાથે આગળ વધારવાની દિશા રજૂ કરવામાં આવી. તેમનો ભાર સ્પષ્ટ રહ્યો કે વિકસિત ભારત માટે ઉત્પાદન વધારવાની સાથે તેની કિંમત, ગુણવત્તા અને મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા પર પણ ધ્યાન આપવું પડશે.