આ વખતે વૃદ્ધો કરતા યુવાનો પર કોરોનાનું જોખમ વધુ, જાણો સંક્રમણના લક્ષણો વિશે નિષ્ણાંતો શું કહે છે

|

Apr 19, 2021 | 11:55 AM

અહેવાલ પ્રમાણે આ વખતે કોરોના વૃદ્ધો કરતાં યુવાનો માટે વધુ સંવેદનશીલ છે. આ વખતે આવા કેટલાક દર્દીઓ આવ્યા છે જેને તાવ અને શરદી નથી, પરંતુ તેમને કોરોના ચેપ લાગ્યો છે.

આ વખતે વૃદ્ધો કરતા યુવાનો પર કોરોનાનું જોખમ વધુ, જાણો સંક્રમણના લક્ષણો વિશે નિષ્ણાંતો શું કહે છે
File Image (PTI)

Follow us on

દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારાની સાથે સાથે તેના લક્ષણોમાં પણ ફેરફારના સંકેત મળ્યા છે. અહેવાલ પ્રમાણે આ વખતે કોરોના વૃદ્ધો કરતાં યુવાનો માટે વધુ સંવેદનશીલ છે. આ વખતે આવા કેટલાક દર્દીઓ આવ્યા છે જેને તાવ અને શરદી નથી, પરંતુ તેમને કોરોના ચેપ લાગ્યો છે.

યુવાનોમાં શું છે લક્ષણો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જેનસ્ટ્રિંગ્સ ડાયગ્નોસ્ટિક સેન્ટરના સ્થાપક નિયામક ડો.ગૌરી અગ્રવાલે જણાવ્યું હતું કે ‘વૃદ્ધો કરતાં યુવાનોને વધુ સંક્રમણ લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે આ વખતે લક્ષણો જુદા છે. ઘણા લોકો શુષ્ક મોં, જઠરાંત્રિય, ઉબકા, ઉલટી, લાલ આંખો અને માથાનો દુખાવોની ફરિયાદ કરે છે. ગૌરીએ કહ્યું કે, આ વખતે બધા દર્દીઓમાં તાવની ફરિયાદ નથી.’ એટલે કે મોં સુકાઈ જવું, જઠરાંત્રિય, ઉબકા, ઉલટી, લાલ આંખો અને માથાનો દુખાવો વગેરે કોરોનાના લક્ષણો કહેવામાં આવી રહ્યા છે.

પરીક્ષણ માટે ઘરોથી આવી રહ્યા છે કોલ્સ

ગૌરીએ જણાવ્યું હતું કે આ ક્ષણે કોરોના વાયરસની તપાસમાં વધારો થયો છે, ત્યારે ઘરેથી નમૂનાઓ એકત્રિત કરવા માટે ઘણા બધા કોલ આવી રહ્યા છે. જેનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું છે. તેમને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનોની કોઈ સમસ્યા નથી, સમસ્યા 24 કલાકમાં આઈસીએમઆર એન્ટ્રી કરવાની છે.

દિલ્હીમાં 65 ટકા દર્દીઓ 45 વર્ષથી ઓછી ઉંમરના

જણાવી દઈએ કે તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે રાજ્યમાં નવા દર્દીઓમાં 65 ટકા લોકો 45 વર્ષથી ઓછી ઉંમરના છે. જી હા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોરોના વાયરસની આ નવી લહેર યુવાનો પર વધુ અસરકારક છે. આવામાં સૌની ચિંતા ખુબ વધી જાય છે.

2,61,500 નવા કેસ

ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના 2,61,500 નવા કેસ નોંધાયા છે. કોવિડ -19 ની કુલ સંખ્યા વધીને 1,47,88,109 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જાહેર કરેલા આંકડા મુજબ, સારવાર હેઠળના કેસો 18 લાખને પાર કરી ગયા છે. કોરોનાની બીજી લહેર ખુબ ભયંકર છે.

 

આ પણ વાંચો: ડોક્ટરની બેદરકારી: ખોટી ટ્રીટમેન્ટને કારણે આ અભિનેત્રીના સુંદર ચહેરાની હાલત થઇ ગઈ ભયંકર ખરાબ, જુઓ તસ્વીર

આ પણ વાંચો: લોકડાઉનના નિર્ણયનો બોલ રાજ્યોના પલ્લામાં, અમિત શાહે લોકડાઉન, રાજ્યોની સત્તા અને મહાકુંભ વિશે શું કહ્યું જાણો

Next Article