લગ્ન સામાન્ય રીતે જીવનભર ટકી રહેવાની આશા સાથે કરવામાં આવે છે. જો કે, જ્યારે છૂટાછેડા થાય છે, ત્યારે તે લાગણીઓને ઠેસ પહોંચાડી દે છે. ‘1 ફાઇનાન્સ મેગેઝિન’ દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ભારતમાં છૂટાછેડાના નાણાકીય પરિણામો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સંશોધન મુજબ સ્થાપક કાનન બહલે શેર કર્યું કે, લગભગ 42% પુરુષોએ છૂટાછેડાની કાર્યવાહી અથવા ભરણપોષણ માટે લોન લીધી હતી.
ફાઉન્ડરની પોસ્ટ પર એક નજર
છૂટાછેડા લેનારાઓમાંથી 67% લોકો નાણાકીય બાબતોને લઈને વારંવાર દલીલો કરતા હતા
42% પુરુષોએ છૂટાછેડાની કાર્યવાહી અથવા ભરણપોષણ માટે લોન લીધી
ભારતમાં મેટ્રો સિટીમાં છૂટાછેડા ખૂબ થઈ રહ્યા છે. 1,258 લોકોનો સર્વે કરવામાં 6 મહિનાનો સમય લાગ્યો, જેથી નાણાકીય બાબતો પર છૂટાછેડાની અસર જાણી શકાય. છૂટાછેડા અને નાણાકીય બાબતો ભારતમાં છૂટાછેડા, ભારે માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક ખર્ચ સાથે આવે છે.
છૂટાછેડા અને નાણાકીય બાબતો આ બંને ભારતમાં ગંભીર મુદ્દા છે. છૂટાછેડા માત્ર માનસિક અને સામાજિક ભાર સાથે જ નથી આવતા, તેના નાણાકીય પરિણામો પણ ઊંડા હોય છે. લગ્ન ખર્ચ, ભરણપોષણ, કાનૂની ખર્ચ અને કારકિર્દી સંબંધિત વિક્ષેપ બધું લગ્ન પછી કૌટુંબિક જવાબદારીઓ નિભાવતી વખતે મહિલાઓ પર વિશેષ અસર કરે છે.
કામ કરતા લોકોમાંથી 23% લોકો બીજા શહેરમાં સ્થળાંતરિત થયા
16% લોકોના કામની તીવ્રતામાં ઘટાડો
30% લોકો નોકરી છોડી ગયા
43% કિસ્સાઓમાં પતિઓએ લગ્ન પછી ખર્ચની સંપૂર્ણ જવાબદારી લીધી
પુરુષો, ભરણપોષણ અને નાણાકીય બાબતો
42% પુરુષોએ ભરણપોષણ ચૂકવણી/છૂટાછેડાની કાર્યવાહી માટે લોન લીધી
29% લોકોએ નેગેટિવ નેટવર્થ હોવા છતાં પણ ભરણપોષણ ચૂકવ્યું
26% સ્ત્રીઓએ તેમના પતિના નેટવર્થના 100% થી વધુ ભરણપોષણ તરીકે મેળવ્યા