નીતિશ કુમારનો વિપક્ષને એકસાથે લાવવાનો પ્રયાસ ભાજપ માટે કેટલો મોટો પડકાર?

નીતિશ કુમાર કોંગ્રેસના રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, શિવસેના (યુબીટી) ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના શરદ પરવાર સહિત ઓછામાં ઓછા 9 ટોચના વિપક્ષી નેતાઓને મળ્યા છે.

નીતિશ કુમારનો વિપક્ષને એકસાથે લાવવાનો પ્રયાસ ભાજપ માટે કેટલો મોટો પડકાર?
PM Modi - Nitish Kumar
| Edited By: | Updated on: May 21, 2023 | 7:09 AM

બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતિશ કુમાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા બનાવવાના મિશન પર છે. તેઓ ભાજપને બેકફૂટ પર લાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. કેન્દ્રમાં સત્તાધારી પક્ષ તેમના નિશાના પર છે. નીતિશ કુમાર કોંગ્રેસના રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, શિવસેના (યુબીટી) ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના શરદ પરવાર સહિત ઓછામાં ઓછા 9 ટોચના વિપક્ષી નેતાઓને મળ્યા છે.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 સીટો જીતી હતી

ત્યારપછી જે નેતાઓ નીતીશ કુમારને મળ્યા છે તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તેમનું આગલું પગલું દરેકને એક મીટિંગ માટે એકસાથે લાવવાનું છે, જેની તારીખ તે ટૂંક સમયમાં જાહેર કરી શકે છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું નીતીશ કુમારનું વિપક્ષી એકતાનું મિશન ભાજપ માટે મુસીબત બની રહ્યું છે? જો આપણે 2019ની લોકસભા ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો ભાજપે 303 સીટો જીતી હતી અને લગભગ 38 ટકા વોટ મેળવ્યા હતા.

ગત લોકસભા ચૂંટણીમાં NDAને બિહારમાં 39 બેઠકો મળી હતી

મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસની મત ટકાવારી 20 ટકા હતી અને તે માત્ર 52 બેઠકો જીતી શકી હતી. મમતા બેનર્જીને 4.1 ટકા, એનસીપીને લગભગ દોઢ ટકા અને બસપાને પણ 4.4 ટકા વોટ મળ્યા હતા. મહારાષ્ટ્રમાં શિવસેનાએ 18, જેડીયુ 16 અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ 5 બેઠકો જીતી છે.

આ પણ વાંચો : G-20 in Srinagar: G-20 બેઠક પહેલા કાશ્મીરમાં સેના એલર્ટ, અધિકારીઓ પહોંચ્યા LOC, NIAએ 15 સ્થળોએ પાડ્યા દરોડા

કોંગ્રેસ, આરજેડી, જેડીયુ સાથે આવે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે

છેલ્લી લોકસભા ચૂંટણીમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએ બિહારમાં 40માંથી 39 સીટો જીતી હતી. તે સમયે જેડીયુ એનડીએનો ભાગ હતો, પરંતુ આ વખતે તે ભાજપથી અલગ થઈ ગઈ છે અને મહાગઠબંધન બનાવવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસ, આરજેડી, જેડીયુ સાથે આવે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. જો કે રાજકીય પંડિતોનું માનવું છે કે આ જોડાણની દક્ષિણના રાજ્યોમાં કોઈ અસર થવાની નથી. તે જ સમયે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ જેવા રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે, આવા રાજ્યોમાં પણ નીતિશના ગઠબંધનની જરૂર નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો