
History Of The Day: આજનો દિવસ ભારતીય રાજનીતિ (Indian politics) ની ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલો છે. 1989માં આ દિવસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Ex Prime Minister Rajiv Gandhi) ની પાર્ટીની હાર બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ હાર નાની ન હતી, પરંતુ તેની પાછળ 1980-90ના યુગમાં સૌથી મોટા રાજકીય ગોટાળા હતા, જે બોફોર્સ કૌભાંડ (Bofors scam) તરીકે ઓળખાય છે.
હકીકતમાં, 1989ની સામાન્ય ચૂંટણી પહેલા લોકસભામાં કોંગ્રેસ પાસે 514માંથી 404 બેઠકો હતી, પરંતુ 1989ની સામાન્ય ચૂંટણી પહેલા જ બોફોર્સની ઘટના બની અને કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારને કારમી હારનો સામનો કરવો પડ્યો.
તેમને માત્ર 193 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જો કે વિપક્ષ પાસે પણ માત્ર 110 સાંસદો હતા, પરંતુ 5 પક્ષોના રાષ્ટ્રીય મોરચાએ મળીને સરકાર બનાવી, જેના નેતા વીપી સિંહ હતા. આ પછી 29 નવેમ્બર 1989ના રોજ રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
શું હતું બોફોર્સ કૌભાંડ?
વર્ષ 1986માં, ભારતે સ્વીડિશ કંપની એબી બોફોર્સ પાસેથી 400 155 એમએમ હોવિત્ઝર ગન ખરીદવાનો સોદો કર્યો હતો, જેની કિંમત લગભગ 1.30 બિલિયન ડોલર હતી. પરંતુ 1987માં સ્વીડિશ રેડિયોએ બોફોર્સ સોદામાં ભ્રષ્ટાચાર અને દલાલીનો પર્દાફાશ કર્યો હતો. આ ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે આ સોદામાં કથિત રીતે 64 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. મામલો એટલો વધી ગયો કે રાજીવ ગાંધીની સરકાર જતી રહી. જોકે, રાજીવ ગાંધી સામેના કોર્ટ કેસમાં લાંચનો કોઈ આરોપ સાબિત થઈ શક્યો નહોતો.
આ પણ વાંચો: IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની