History Of The Day: જંગી બહુમતી ધરાવતી કોંગ્રેસ 193 સીટો પર સંકેલાઈ ગઈ હતી, રાજીવ ગાંધીએ આપવું પડ્યું હતું રાજીનામું

|

Nov 29, 2021 | 9:34 AM

1989ની સામાન્ય ચૂંટણી પહેલા લોકસભામાં કોંગ્રેસ પાસે 514માંથી 404 બેઠકો હતી, પરંતુ 1989ની સામાન્ય ચૂંટણી પહેલા જ બોફોર્સની ઘટના બની અને કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારને કારમી હારનો સામનો કરવો પડ્યો.

History Of The Day: જંગી બહુમતી ધરાવતી કોંગ્રેસ 193 સીટો પર સંકેલાઈ ગઈ હતી, રાજીવ ગાંધીએ આપવું પડ્યું હતું રાજીનામું
Rajiv Gandhi File Photo

Follow us on

History Of The Day: આજનો દિવસ ભારતીય રાજનીતિ (Indian politics) ની ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલો છે. 1989માં આ દિવસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Ex Prime Minister Rajiv Gandhi) ની પાર્ટીની હાર બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ હાર નાની ન હતી, પરંતુ તેની પાછળ 1980-90ના યુગમાં સૌથી મોટા રાજકીય ગોટાળા હતા, જે બોફોર્સ કૌભાંડ (Bofors scam) તરીકે ઓળખાય છે.

હકીકતમાં, 1989ની સામાન્ય ચૂંટણી પહેલા લોકસભામાં કોંગ્રેસ પાસે 514માંથી 404 બેઠકો હતી, પરંતુ 1989ની સામાન્ય ચૂંટણી પહેલા જ બોફોર્સની ઘટના બની અને કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારને કારમી હારનો સામનો કરવો પડ્યો.

તેમને માત્ર 193 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જો કે વિપક્ષ પાસે પણ માત્ર 110 સાંસદો હતા, પરંતુ 5 પક્ષોના રાષ્ટ્રીય મોરચાએ મળીને સરકાર બનાવી, જેના નેતા વીપી સિંહ હતા. આ પછી 29 નવેમ્બર 1989ના રોજ રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શું હતું બોફોર્સ કૌભાંડ?
વર્ષ 1986માં, ભારતે સ્વીડિશ કંપની એબી બોફોર્સ પાસેથી 400 155 એમએમ હોવિત્ઝર ગન ખરીદવાનો સોદો કર્યો હતો, જેની કિંમત લગભગ 1.30 બિલિયન ડોલર હતી. પરંતુ 1987માં સ્વીડિશ રેડિયોએ બોફોર્સ સોદામાં ભ્રષ્ટાચાર અને દલાલીનો પર્દાફાશ કર્યો હતો. આ ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે આ સોદામાં કથિત રીતે 64 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. મામલો એટલો વધી ગયો કે રાજીવ ગાંધીની સરકાર જતી રહી. જોકે, રાજીવ ગાંધી સામેના કોર્ટ કેસમાં લાંચનો કોઈ આરોપ સાબિત થઈ શક્યો નહોતો.

આ દિવસે ઈતિહાસમાં બનેલી 14 મોટી ઘટનાઓ…

  1. 1516: ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડે ફ્રીબર્ગની શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  2. 1775: અદ્રશ્ય શાહી સર જેમ્સ જેએ ખોજ કરી.
  3. 1830: પોલેન્ડમાં રશિયન શાસન સામે બળવો શરૂ થયો.
  4. 1870: બ્રિટનમાં આવશ્યક શિક્ષણ કાયદો અમલમાં આવ્યો.
  5. 1916: અમેરિકાએ ડોમિનિકન રિપબ્લિકમાં માર્શલ લો લાદવાની જાહેરાત કરી.
  6. 1944: અલ્બેનિયા નાઝીઓના કબજામાંથી મુક્ત થયું.
  7. 1947: યુએનએ પેલેસ્ટાઈનને આરબો અને યહૂદીઓ વચ્ચે વિભાજીત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
  8. 1949: પૂર્વ જર્મનીમાં યુરેનિયમની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 3,700 લોકો મૃત્યુ પામ્યા.
  9. 1961: વિશ્વના પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરીન ભારત આવ્યા.
  10. 1970: હરિયાણા 100% ગ્રામીણ વિદ્યુતીકરણનું લક્ષ્ય હાંસલ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું.
  11. 1987: થાઈલેન્ડ-મ્યાનમાર બોર્ડર પાસે કોરિયન પ્લેનમાં થયેલા વિસ્ફોટમાં 115 લોકો માર્યા ગયા.
  12. 1993: જહાંગીર રતનજી દાદાભોય ટાટા (JRD Tata) નું અવસાન, જેઓ ટાટા જૂથને નવી ઊંચાઈએ લઈ ગયા.
  13. 2012: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પેલેસ્ટાઈનને બિન-સભ્ય નિરીક્ષક રાજ્યનો દરજ્જો આપ્યો.
  14. 2015: અમેરિકન સમાજશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી ઓટ્ટો ન્યુમેનનું અવસાન થયું.

આ પણ વાંચો: Bhakti: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત ? જાણો વિષ્ણુકૃપા પ્રાપ્ત કરવાની ફળદાયી વિધિ

આ પણ વાંચો: IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

Next Article