
ભારતમાં આવેલા તમામ એરપોર્ટ્સ માટે સિવિલ એવિએશન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા તત્કાળ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આવી ચેતવણી મળવા પાછળનું કારણ છે પાકિસ્તાનથી સંકળાયેલા આતંકી જૂથોની સંભવિત ગતિવિધિ અંગે મળેલી ઈન્ટેલિજન્સ માહિતી.
BCAS દ્વારા 4 ઓગસ્ટે જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 વચ્ચે આતંકી કે અસામાજિક તત્વો દ્વારા ભારતમાં આવેલ એરપોર્ટ્સ, એરસ્ટ્રિપ, હેલિપેડ અને ફ્લાઈંગ સ્કૂલ્સમાં હુમલાની શક્યતા છે. પરિણામે તમામ વિમાનચાલન સુવિધાઓમાં સુરક્ષા વધુ કડક બનાવી દેવાની સૂચના આપવામાં આવી છે.
BCAS એ તમામ સ્ટેકહોલ્ડર્સને જેમાં એરલાઈન્સ, એરપોર્ટ ઓથોરિટીઝ અને રાજ્ય પોલીસનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ, CISF, IB અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંકલનમાં રહેવાની સૂચના આપી છે. દરેક ઈન્ટેલિજન્સ ઇનપુટ કે એલર્ટની તાત્કાલિક માહિતી દરેક સંબંધિત એજન્સીને પહોંચાડી દેવાની ફરજ ઊભી કરવામાં આવી છે.