
1962ના ભારત-ચીન યુદ્ધની ઘણી કહાનીઓ આજે પણ જીવંત છે. આ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ જે રીતે બહાદુરી બતાવી તે ભારતને હંમેશા ગર્વની અનુભૂતિ કરાવે છે. આ યુદ્ધ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી, જ્યારે ચીને અરુણાચલ પ્રદેશની સરહદ પર કબજો કરવાના ઈરાદાથી હુમલો કર્યો. પરંતુ તેઓ જાણતા ન હતા કે ત્યાં ભારતીય સેનાના એક બહાદુર જવાન તેમનો કાળ બનીને બેઠા હતા. એ બહાદુર જવાન બીજું કોઈ નહીં પણ રાઈફલમેન જસવંત સિંહ રાવત હતા. ભારતીય સેનાના રાઈફલ મેન જસવંત સિંહ રાવત શહીદ નહી, પરંતુ અમર છે. આજે પણ બોર્ડર પર તૈનાત છે. તેમને સેવામાંથી નિવૃત્ત કરાયા નથી. તેમના નામની આગળ સ્વર્ગીય ક્યારેય લખાતું નથી. આજે પણ તેમને નિયમિત પોસ્ટ અને પ્રમોશન આપવામાં આવે છે. રજાઓ પણ મળે છે અને મહિને સત્તાવાર રીતે પગાર પણ ચુકવવામાં આવે છે. આ બહાદુર સૈનિકનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. ભારતીય સેનાના પાંચ જવાનો દિવસ-રાત તેમની સેવામાં લાગેલા છે. તેઓ તેમના પોશાકને ઇસ્ત્રી કરે છે. તેમના જૂતાને પોલિશ...