Namo@71 : રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું,“Happy Birthday, Modi ji”

|

Sep 17, 2021 | 1:55 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દેશભરના લોકો તેમને સોશિયલ મીડિયા પર લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 માં થયો હતો અને આજે તેઓ 71 વર્ષ પૂર્ણ કરી 72 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

Namo@71 : રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું,“Happy Birthday, Modi ji”
PM Narendra Modi

Follow us on

Namo@71: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 17 સપ્ટેમ્બરે તેમનો 71 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેનો જન્મ 1950માં થયો હતો અને આ વખતે તે 72 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. ઉંમરના આ તબક્કે પણ નરેન્દ્ર મોદી મહેનતુ છે.

આ પ્રસંગે દેશના તમામ નેતાઓ તેમના જન્મદિવસ પર તેમને અભિનંદન આપી રહ્યા છે. ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Congress MP Rahul Gandhi)એ પણ ટ્વિટ કરીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “Happy Birthday, Modi ji.”

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

બીજી બાજુ, સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા લોકો તેમના લાંબા આયુષ્યની શુભેચ્છાઓ આપી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પણ ટ્વિટ કરીને પીએમને તેમના ખાસ દિવસની શુભેચ્છા પાઠવી છે. અમિત શાહે (Amit Shah) પોતાના ટ્વીટમાં લખ્યું કે, “મોદીજીએ સુરક્ષા, ગરીબ-કલ્યાણ, વિકાસ અને ઐતિહાસિક સુધારાઓના સમાંતર સમન્વયનો એક અનોખો દાખલો બેસાડ્યો છે. પીએમ મોદીજીના સંકલ્પ અને સમર્પણથી દેશવાસીઓમાં એક નવી ઉર્જા અને આત્મ વિશ્વાસ ઉભો થયો છે, જેના કારણે દેશ નવા વિક્રમો સ્થાપીને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના જન્મદિવસને ઔતિહાસિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. સંસ્કૃતિ મંત્રાલય 17 સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રીને મળેલી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજી (E-auction)નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનને આપવામાં આવશે.

ભાજપ આ દિવસને ઐતિહાસિક બનાવવા માંગે છે

તે જ સમયે, ભાજપ આજે મહત્તમ સંખ્યામાં કોવિડ -19 રસીકરણ (Covid-19 Vaccination)નો રેકોર્ડ બનાવવા માંગે છે. આ રેકોર્ડને પરિપૂર્ણ કરવા માટે, પાર્ટીએ આરોગ્ય સ્વયંસેવકો (Health Volunteers) તૈયાર કર્યા છે જેથી આજે એક દિવસમાં વધુમાં વધુ લોકોને રસી આપી શકાય. ભારતે અગાઉ એક દિવસમાં એક કરોડથી વધુ કોવિડ -19 રસી (Covid-19 Vaccine) આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.

 

આ પણ વાંચો : IPL 2021: બીજા તબક્કામાં 10 વિદેશી ખેલાડીઓ ડેબ્યુ કરશે, જાણો કોણ છે આ ખેલાડીઓ

Next Article