‘સાત ફેરાથી’ લગ્ન ન કરવા પર ઓસ્ટ્ર્ર્રેલિયામાં ગુજરાતી દંપતીને મળી દેશનિકાલની ધમકી

|

Oct 26, 2024 | 4:59 PM

"સપ્તપદી" ના પુરાવા વગર સત્તાવાળાઓએ તેમની લગ્ન નોંધણી સ્વીકારવાનો ઇનકાર કર્યો અને પત્નીને ઓસ્ટ્રેલિયાથી કાઢી મુકવાની ધમકી આપી હતી. આ દંપતીએ વડોદરા ફેમિલી કોર્ટમાં પિટિશન દાખલ કરીને દલીલ કરી હતી કે હિન્દુ લગ્ન કાયદેસર રીતે સપ્તપદી વિના કરી શકાય છે

સાત ફેરાથી લગ્ન ન કરવા પર ઓસ્ટ્ર્ર્રેલિયામાં ગુજરાતી દંપતીને મળી દેશનિકાલની ધમકી
Gujarati couple facing deportation

Follow us on

ઓસ્ટ્રેલિયામાં એક ગુજરાતી દંપતી એ પરંપરાગત “સપ્તપદી” વિધિ કર્યા વિના તેમના લગ્ન કરતા તેમને વિદેશમાં ધમકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે લગ્નની માન્યતાની પુષ્ટિ કરવા માટે ફેમિલી કોર્ટમાંથી મંજૂરી મેળવવા માટે વડોદરા પરત આવવું પડ્યું હતુ.

સાતફેરા ના લીધા હોવાથી દેશનિકાલની આપી ધમકી

ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના વિભાગે તેમના લગ્નની માન્યતા પર પ્રશ્ન ઉઠાવ્યા બાદ દંપતીના લગ્નની તપાસ કરવામાં આવી હતી, કારણ કે તેમના સમારંભમાંથી ધાર્મિક ફોટોગ્રાફિક પુરાવા અડધા જ હતા. વડોદરામાં વરરાજાના ઘરે પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં આ કપલે ગયા વર્ષે 10 ફેબ્રુઆરીએ એરેન્જ્ડ મેરેજ કર્યા હતા. તેમની ધાર્મિક વિધિઓમાં સિંદૂરદાન, વરમાળા અને મંગળસૂત્ર સમારોહનો સમાવેશ થતો હતો, જેમાં સપ્તપદીના સાત ફેરા લેવામાં આવ્યા ન હતા.

જ્યારે પત્ની તેના પતિના આશ્રિત તરીકે ઓસ્ટ્રેલિયા ગઈ, જેના પતિ ત્યાં નિવાસી છે, ત્યારે ગૃહ મંત્રાલયે હિંદુ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની માન્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ઓપરેશન વગર કિડનીની પથરીને બહાર કાઢી શકે છે આ અસરકારક ઉપાય
જૂની સાવરણી ક્યારે, કયા દિવશે અને ક્યાં ફેકવી જોઈએ, જાણી લો
Kiwi : સવારે ખાલી પેટે ખાઓ કીવી, મળશે 5 ચમત્કારિક ફાયદા
તાંબાના વાસણમાં પાણી પીવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-10-2024
ટેસ્ટ ક્રિકેટના 142 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

ફેમિલી કોર્ટનો દંપનીના તરફેણમાં જવાબ

“સપ્તપદી” ના પુરાવા વગર સત્તાવાળાઓએ તેમની લગ્ન નોંધણી સ્વીકારવાનો ઇનકાર કર્યો અને પત્નીને ઓસ્ટ્રેલિયાથી કાઢી મુકવાની ધમકી આપી હતી. આ દંપતીએ વડોદરા ફેમિલી કોર્ટમાં પિટિશન દાખલ કરીને દલીલ કરી હતી કે હિન્દુ લગ્ન કાયદેસર રીતે સપ્તપદી વિના કરી શકાય છે, જો કે અન્ય જરૂરી વિધિઓનું પાલન કરવામાં આવે તો. તેમણે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ટાંક્યા અને હિંદુ મેરેજ એક્ટની કલમ 5 હેઠળ પાંચ પ્રતિબંધિત શરતોનું પાલન દર્શાવ્યું.

પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ ફેમિલી કોર્ટે દંપતીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેણે લગ્નને માન્ય જાહેર કરતા કહ્યું કે ગુજરાતી બ્રાહ્મણ પરંપરાઓ સાથે જોડાયેલા યુગલે તેમના રિવાજો મુજબ લગ્ન કર્યા હતા.

કોર્ટે જણાવ્યું હતું કે “સપ્તપદી” ની ગેરહાજરી લગ્નને “અમાન્ય, રદબાતલ અથવા અસ્તિત્વહીન” બનાવતી નથી. આ નિર્ણયે વિવિધ હિંદુ લગ્ન રિવાજોને માન્યતા આપવા માટે એક દાખલો પણ સ્થાપિત કર્યો.

Published On - 4:48 pm, Sat, 26 October 24

Next Article