શહીદોના પરિવારની પડખે ઉભું રહેશે ગુજરાતનું આ શહેર, દરેક શહીદના પરિવારને કરશે રુપિયા અઢી લાખની મદદ

સુરત એટલે ભારતમાં કોઈ પણ જગ્યા પર કોઈ હોનારત કે કોઈ ઘટના બને ત્યારે તે લોકોના પડખે ઉભું રહેતું એવું એક શહેર છે.  આ શહીદ પરિવારના વ્હારે સુરતના લોકો સામે આવ્યા છે. પુલવામામાં હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવારને સુરત શહેરમાંથી આર્થિક મદદ મોકલવામાં આવશે. TV9 Gujarati   એક એવું શહેર કે કોઈ આર્થિક રીતે પડી […]

શહીદોના પરિવારની પડખે ઉભું રહેશે ગુજરાતનું આ શહેર, દરેક શહીદના પરિવારને કરશે રુપિયા અઢી લાખની મદદ
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:31 AM

સુરત એટલે ભારતમાં કોઈ પણ જગ્યા પર કોઈ હોનારત કે કોઈ ઘટના બને ત્યારે તે લોકોના પડખે ઉભું રહેતું એવું એક શહેર છે.  આ શહીદ પરિવારના વ્હારે સુરતના લોકો સામે આવ્યા છે. પુલવામામાં હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવારને સુરત શહેરમાંથી આર્થિક મદદ મોકલવામાં આવશે.

TV9 Gujarati

 

એક એવું શહેર કે કોઈ આર્થિક રીતે પડી ભાગ્યું હતું છતાં પણ આખું શહેર ઉભું થયું અને અત્યારે લોકોના પડખે ઉભું રહેતું શહેર બની ગયું છે.ત્યારે આ સુરતનું મારુતિ વીર જવાન ટ્રસ્ટ પુલવામાં હુમલાના શહીદ જવાનોના  પરિવારના ખંભેથી ખંભો મિલાવી સાથે ઉભુ છે. પુલવામાં આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને ટ્રસ્ટ તરફથી આર્થિક યોગદાન આપવાનો નિર્ણય લીધો છે. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિની સાથે પરિવારને 2 લાખ 50 હજાર ની આર્થિક સહાય ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા શહીદ જવાનના પરિવારને 2 લાખ 50 હજારનો ચેક અર્પણ કરવામાં આવશે. મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 44 શહીદ જવાનોના પરિવારને 1 કરોડ 10 લાખની સહાય આપવામાં આવશે.

[yop_poll id=1495]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:23 pm, Sat, 16 February 19