Vaccination : દેશમાં સગર્ભા મહિલાઓને પણ અપાશે કોરોના વેક્સિન, તૈયારીઓમાં લાગી સરકાર

|

Jun 25, 2021 | 4:03 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને વિશેષ સમિતિ તરફથી સગર્ભા સ્ત્રીઓને કોરોના રસી(Vaccine) આપવાની ભલામણ મળી છે.આ ભલામણોના આધારે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે.

Vaccination : દેશમાં સગર્ભા મહિલાઓને પણ અપાશે કોરોના વેક્સિન, તૈયારીઓમાં લાગી સરકાર
દેશમાં સગર્ભા મહિલાઓને પણ અપાશે કોરોના વેક્સિન

Follow us on

અમેરિકા અને બ્રિટનની જેમ ભારત પણ સગર્ભા મહિલા(Preganat Women) ઓને કોરોના રસી(Vaccine) આપવાનો માર્ગ મોકળો થઇ શકે છે. કેન્દ્ર સરકારે હજી સુધી ફક્ત સ્તનપાન કરાવતી મહિલાઓને કોરોના રસીકરણમાં સમાવિષ્ટ કરવાની મંજૂરી આપી છે. પરંતુ ટૂંક સમયમાં સરકાર સગર્ભા મહિલા(Preganat Women)ઓ અંગે અલગ માર્ગદર્શિકા બહાર પાડવા જઇ રહી છે. જેમાં જાણવા મળ્યું છે કે એક થી બે અઠવાડિયા વચ્ચે સરકાર રાજ્યોને આ અંગે સૂચના આપી શકે છે.

ભલામણોના આધારે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને વિશેષ સમિતિ તરફથી સગર્ભા સ્ત્રી(Preganat Women)ઓને રસી આપવાની ભલામણ મળી છે. જેના આધારે મંત્રાલયમાં હાજર રસીકરણ વિભાગ તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં વ્યસ્ત છે.રસીકરણ અધિકારીઓ આ અંગે સંમત થયા છે અને કહ્યું છે કે ભલામણોના આધારે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક- વી રસી(Vaccine) મેળવી શકશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અમેરિકા સહિત ઘણા દેશોમાં મંજૂરી

યુ.એસ., યુકે, ઇઝરાઇલ અને બેલ્જિયમ જેવા દેશોમાં સગર્ભા સ્ત્રીઓની રસીકરણને અગ્રતાની સૂચિમાં મૂકવામાં આવી છે. આ સિવાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ વચગાળાના અહેવાલ દ્વારા સગર્ભા સ્ત્રીઓને રસી આપવાની સલાહ પણ આપી છે. તેઓ માને છે કે સગર્ભા સ્ત્રી(Preganat Women)ઓ કે જેમને અન્ય કોઈ ગંભીર રોગ છે અને કોરોના ચેપનું ઉચ્ચ જોખમ છે તેમને રસી આપી શકાય છે.

ડબ્લ્યુએચઓ અને અભ્યાસના આધારે માર્ગદર્શિકા બનાવવામાં આવી રહી છે

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ઘણા દેશોએ ગર્ભવતી માતા માટે રસીકરણને પ્રાધાન્ય આપ્યું છે. આને ધ્યાનમાં રાખીને અને અમારી રસીઓની સલામતી પ્રોફાઇલના સખત અભ્યાસ પછી નિષ્ણાત સમિતિએ સગર્ભા સ્ત્રીને કોરોના રસીકરણ માટે પાત્ર બનવાની ભલામણ કરી છે.

દેશોના અનુભવને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા

તેમણે માહિતી આપી હતી કે ડબ્લ્યુએચઓ(WHO)સહિતના અન્ય અભ્યાસ અનુસાર માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધી, સગર્ભા સ્ત્રીઓ વિશે મર્યાદિત અધ્યયનો બહાર આવ્યા છે, પરંતુ રસીકરણ પહેલાથી જ થઈ રહ્યું છે તેવા દેશોના અનુભવને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

28 મેના રોજ ભલામણ આપવામાં આવી છે

28 મી મેના રોજ રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથની બેઠકમાં સગર્ભા સ્ત્રીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તે દરમ્યાન નિષ્ણાતોએ આ મહિલાઓ માટે રસી ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી હતી. જ્યારે મંત્રાલયમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે કે આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવની દેખરેખ હેઠળ રચાયેલી બીજી કમિટીએ પણ આવી ભલામણો કરી છે. જેના આધારે આગળની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Published On - 4:00 pm, Fri, 25 June 21

Next Article