ઉદયપુરમાં એક દરજીની નિર્મમ હત્યા બાદ સમગ્ર રાજસ્થાન રાજ્યમાં તણાવનું વાતાવરણ છે. રાજસ્થાન સરકારે સાવચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આઈપીસીની કલમ 144 લાગુ કરી છે. તો બીજીબાજુ ઈન્ટરનેટ સેવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. દરમિયાન, નુપૂર શર્માની (nupur sharma) ટિપ્પણીને લઈને ઉદેપુરમાં કરાયેલ હત્યાને લઈને હવે રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ચૂકી છે. જો કે આ મામલે અશોક ગેહલોત સરકારના મંત્રીઓ પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. ગેહલોતના કેબિનેટ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે (Pratap Singh Khachariawase) કહ્યું છે કે દોષિતોને તાત્કાલિક સજા થવી જોઈએ. તેણે કહ્યું, ‘હું ગુસ્સાથી ઉકળી રહ્યો છું, ગુનેગારોને તાત્કાલિક ગોળી મારી દેવી જોઈએ.’ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. ખાચરિયાવાસે ટ્વીટ કરીને લખ્યું, ‘ઉદયપુરમાં યુવકની અમાનવીય હત્યાની સખત નિંદા કરીએ છીએ. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને કડકમાં કડક સજા ફટકારીને તમામને ફાંસી આપવી જોઈએ.
उदयपुर में युवक के साथ हुए अमानवीय हत्याकांड की कठोर निंदा करता हूं।
इस घटना में शामिल सभी अपराधियों को फाँसी पर लटका कर सख़्त से सख़्त सज़ा देनी होगी ॥
— Pratap Khachariyawas (@PSKhachariyawas) June 28, 2022
મૃતક કન્હૈયા લાલે 15 જૂનના રોજ ધનમંડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. તેમણે ધમકી આપનારા અને પોતાના માટે રક્ષણ માંગનારાઓ સામે પગલાં લીધા. તેમણે એફઆઈઆરમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો દુકાનમાં આવ્યા અને તેનો મોબાઈલ માંગ્યો. તે લોકોએ કહ્યું કે તમે કેટલીક પોસ્ટ શેર કરી છે. એફઆઈઆર મુજબ કન્હૈયાએ કહ્યું કે મને ફોન કેવી રીતે ઓપરેટ કરવો તે આવડતું નથી, મારો 8 વર્ષનો દીકરો છે જે મોબાઈલ પર ગેમ રમે છે, તે ભૂલથી તેની સાથે શેર થઈ ગયો હોઈ શકે છે. આ પછી, 11 જૂને, પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. જ્યારે કન્હૈયા લાલ પોલીસ સ્ટેશન ગયો તો તેને ખબર પડી કે પાડોશીએ કેસ દાખલ કર્યો છે. પાડોશી 3 દિવસથી 5 લોકો સાથે દુકાનની રેકી કરતો હતો. તેણે કન્હૈયા લાલનો ફોટો, નામ, સરનામું વોટ્સએપ ગ્રુપ પર મૂક્યું હતું. આમાં તેણે કન્હૈયાના ફોટો સાથે લખ્યું- જ્યાં પણ મળે તેને મારી નાખો.