Helicopter Crash: સંજય ગાંધી, માધવ રાવ સિંધિયાથી લઈને પૂર્વ મુખ્યમંત્રી વાય એસ રાજશેખર રેડ્ડી સુધી આ દિગ્ગજોએ વિમાની દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો

|

Dec 08, 2021 | 8:41 PM

ભારતીય રાજનેતા સંજય ગાંધીથી માંડીને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુએ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. જાણો એ વ્યક્તિઓની અંતિમ યાત્રા વિશે...

1 / 8
દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું નિધન થયુ છે. તમિલનાડુના કુન્નુરમાં બુધવારે બપોરે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. બોર્ડમાં જનરલ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો સવાર હતા. જેમાંથી 13ના મોત થયા છે. આ જ રીતે પહેલા દેશના ઘણા દિગ્ગજ હેલિકોપ્ટર ક્રેશનો શિકાર બન્યા છે. ભારતીય રાજકારણીઓ સંજય ગાંધી, વાયએસ રાજશેખર રેડ્ડી, માધવરાવ સિંધિયા જીએમસી બાલ યોગી, એસ મોહન કુમારમંગલમ, ઓપી જિંદાલ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. જાણો એ વ્યક્તિત્વની અંતિમ યાત્રા વિશે...

દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું નિધન થયુ છે. તમિલનાડુના કુન્નુરમાં બુધવારે બપોરે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. બોર્ડમાં જનરલ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો સવાર હતા. જેમાંથી 13ના મોત થયા છે. આ જ રીતે પહેલા દેશના ઘણા દિગ્ગજ હેલિકોપ્ટર ક્રેશનો શિકાર બન્યા છે. ભારતીય રાજકારણીઓ સંજય ગાંધી, વાયએસ રાજશેખર રેડ્ડી, માધવરાવ સિંધિયા જીએમસી બાલ યોગી, એસ મોહન કુમારમંગલમ, ઓપી જિંદાલ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. જાણો એ વ્યક્તિત્વની અંતિમ યાત્રા વિશે...

2 / 8
23 નવેમ્બર 1963ના રોજ ભારતીય વાયુસેનાનું વિમાન જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં લેફ્ટનન્ટ જનરલ દૌલત સિંહ, લેફ્ટનન્ટ જનરલ બિક્રમ સિંહ અને એર વાઈસ માર્શલ એર્લિક પિન્ટોના મોત થયા હતા.

23 નવેમ્બર 1963ના રોજ ભારતીય વાયુસેનાનું વિમાન જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં લેફ્ટનન્ટ જનરલ દૌલત સિંહ, લેફ્ટનન્ટ જનરલ બિક્રમ સિંહ અને એર વાઈસ માર્શલ એર્લિક પિન્ટોના મોત થયા હતા.

3 / 8
તારીખ 31 મે 1973એ કોંગ્રેસ નેતા મોહન કુમાર મંગલમનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું.  મોહન કુમાર ઇન્ડિયન એરલાઇન્સ 440 નામના પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ તેની પાર્કર પેનની મદદથી તેના મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી.

તારીખ 31 મે 1973એ કોંગ્રેસ નેતા મોહન કુમાર મંગલમનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. મોહન કુમાર ઇન્ડિયન એરલાઇન્સ 440 નામના પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ તેની પાર્કર પેનની મદદથી તેના મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી.

4 / 8
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું 23 જૂન 1980ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. એક રિપોર્ટ અનુસાર સંજય એક સારા પાયલટ હતા. તે મુસાફરી દરમિયાન નહીં, પરંતુ પ્લેનમાંથી ખતરનાક પરાક્રમ દરમિયાન મૃત્યુ પામ્યા.

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું 23 જૂન 1980ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. એક રિપોર્ટ અનુસાર સંજય એક સારા પાયલટ હતા. તે મુસાફરી દરમિયાન નહીં, પરંતુ પ્લેનમાંથી ખતરનાક પરાક્રમ દરમિયાન મૃત્યુ પામ્યા.

5 / 8
કોંગ્રેસના નેતા માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર 2001ના રોજ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તે જે પ્લેનમાં સવાર હતો તેમાં ચાર પત્રકારો પણ સામેલ હતા. પ્લેન ક્રેશ થવાનું કારણ નબળી વિઝિબિલિટી ગણાવવામાં આવ્યું હતું.ભારે વરસાદને કારણે હેલિકોપ્ટર ક્રેશ થઈને મોતા ગામમાં ડાંગરના ખેતરમાં પડ્યું હતું.

કોંગ્રેસના નેતા માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર 2001ના રોજ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તે જે પ્લેનમાં સવાર હતો તેમાં ચાર પત્રકારો પણ સામેલ હતા. પ્લેન ક્રેશ થવાનું કારણ નબળી વિઝિબિલિટી ગણાવવામાં આવ્યું હતું.ભારે વરસાદને કારણે હેલિકોપ્ટર ક્રેશ થઈને મોતા ગામમાં ડાંગરના ખેતરમાં પડ્યું હતું.

6 / 8
લોકસભા સ્પીકર તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીનું 3 માર્ચ 2002ના રોજ આંધ્ર પ્રદેશમાં અવસાન થયું હતું. આ અકસ્માતનું કારણ પણ નબળી વિઝિબિલિટી હતી. વિઝિબિલિટીના અભાવે પાયલોટે પ્લેનને જમીનને બદલે એક તળાવ પર લેન્ડ કર્યું હતું.

લોકસભા સ્પીકર તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીનું 3 માર્ચ 2002ના રોજ આંધ્ર પ્રદેશમાં અવસાન થયું હતું. આ અકસ્માતનું કારણ પણ નબળી વિઝિબિલિટી હતી. વિઝિબિલિટીના અભાવે પાયલોટે પ્લેનને જમીનને બદલે એક તળાવ પર લેન્ડ કર્યું હતું.

7 / 8
સપ્ટેમ્બર 2004માં મેઘાલયના કેન્દ્રીય મંત્રી અને સામુદાયિક વિકાસ મંત્રી સી સંગમાના મૃત્યુનું કારણ પણ હેલિકોપ્ટર ક્રેશ હતું. પવન હંસ નામના હેલિકોપ્ટરમાં સંગમા ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા.

સપ્ટેમ્બર 2004માં મેઘાલયના કેન્દ્રીય મંત્રી અને સામુદાયિક વિકાસ મંત્રી સી સંગમાના મૃત્યુનું કારણ પણ હેલિકોપ્ટર ક્રેશ હતું. પવન હંસ નામના હેલિકોપ્ટરમાં સંગમા ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા.

8 / 8
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડી જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે 3 સપ્ટેમ્બર 2009ના રોજ ચિત્તૂર જિલ્લામાં ક્રેશ થયું હતું. અમેરિકન ટેક્નોલોજી પર આધારિત આ ડબલ એન્જિન બેલ 430 ચોપર હતું. વાયએસઆરનો મૃતદેહ 27 કલાક બાદ મળી આવ્યો હતો.

આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડી જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે 3 સપ્ટેમ્બર 2009ના રોજ ચિત્તૂર જિલ્લામાં ક્રેશ થયું હતું. અમેરિકન ટેક્નોલોજી પર આધારિત આ ડબલ એન્જિન બેલ 430 ચોપર હતું. વાયએસઆરનો મૃતદેહ 27 કલાક બાદ મળી આવ્યો હતો.

Next Photo Gallery