Assam-Arunachal Border: આસામ-અરુણાચલ બોર્ડર પર ફાયરિંગ, બેના મોત, ત્રણ લાપતા

આસામના ધેમાજી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, કેટલાક સ્થાનિકો આંતર-રાજ્ય સરહદ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન માટે એકઠા થયા હતા, ત્યારે અચાનક ગોળીબાર થયો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા.

Assam-Arunachal Border: આસામ-અરુણાચલ બોર્ડર પર ફાયરિંગ, બેના મોત, ત્રણ લાપતા
Image Credit source: Google
| Edited By: | Updated on: Jun 05, 2023 | 10:07 PM

Assam: આસામના ધેમાજી જિલ્લામાં સોમવારે અરુણાચલ પ્રદેશ સરહદ પર કથિત ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ગુમ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. આ મામલે માહિતી આપતા SP રંજન ભુઈયાએ જણાવ્યું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્થાનિક લોકો આંતરરાજ્ય સરહદી વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યા હતા.

આ પણ વાચો: Balasore Train Accident: અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યુ Reliance Foundation, આ રીતે કરી રહ્યું છે મદદ

તેમણે કહ્યું કે સવારે સાત ગ્રામીણો તેની તૈયારીઓને લઈને સ્થળ પર પહોંચ્યા હતા, ત્યારે જ આરોપીઓએ ફાયરિંગ શરૂ કર્યું અને ગ્રામીણો તેમની ચપેટમાં આવી ગયા હતા. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ છે, જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અન્ય ત્રણની શોધ ચાલુ છે: એસપી

એસપીએ જણાવ્યું કે અન્ય ત્રણ લોકો ગુમ છે, પોલીસ તેમને શોધી રહી છે. તેમણે કહ્યું કે માહિતી મળતા અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ, સ્થાનિક લોકોએ અરુણાચલ પ્રદેશના બદમાશોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો કારણ કે આ વિસ્તારમાં આંતર-રાજ્ય સરહદ પર વિવાદ ચાલી રહ્યો હતો. આસામ અને અરુણાચલ પ્રદેશ 804 કિલોમીટર લાંબી સરહદ છે અને બંને પક્ષો સરહદ વિવાદોને ઉકેલવા માટે ચર્ચામાં રોકાયેલા છે.

તાજેતરમાં એક મેમોરેન્ડમ પર સમજૂતી થઈ હતી

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે નવી દિલ્હીમાં 20 એપ્રિલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં સરહદી રેખાના ઉકેલ માટે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

અરુણાચલ પ્રદેશને 1972માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો

ગયા વર્ષે જુલાઈમાં, બંને મુખ્ય પ્રધાનોએ સરહદ વિવાદોને ઉકેલવાના પ્રયાસોને વેગ આપવા માટે નામસાઈ ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હતા. જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશને 1972માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો, જ્યારે 1987માં તેને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો