દેશમાં 18 વર્ષથી ઉપરના 86 ટકા લોકોને ઓછામાં ઓછો રસીનો અપાઈ ચૂક્યો છે એક ડોઝ, જીનોમ સિક્વન્સિંગ માટે 36 લેબ કાર્યરત

|

Dec 10, 2021 | 3:40 PM

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરશે.

દેશમાં 18 વર્ષથી ઉપરના 86 ટકા લોકોને ઓછામાં ઓછો રસીનો અપાઈ ચૂક્યો છે એક ડોઝ, જીનોમ સિક્વન્સિંગ માટે 36 લેબ કાર્યરત
Health Minister Mansukh Mandvia

Follow us on

સંસદના શિયાળુ સત્ર (Winter Session of Parliament) દરમિયાન લોકસભામાં (Lok Sabha) કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandvia) કહ્યું હતું કે અત્યાર સુધીમાં દેશના 86 ટકા લોકોને કોરોના રસીનો (Corona vaccine) ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. એન કે પ્રેમચંદ્રન, રાજીવ રંજન સિંહ, મનીષ તિવારી અને અન્ય નેતાઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ ટિપ્પણી કરી હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે સરકાર 100 ટકા રસીકરણના લક્ષ્યને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે અને ટૂંક સમયમાં આ લક્ષ્યાંક પણ હાંસલ કરવામાં આવશે. કોરોના રસીની સ્વાસ્થ્ય પર અસર અંગેના પ્રશ્નના જવાબમાં મનસુખ માંડવિયાએ કહ્યું કે રસીને ઘણા ટ્રાયલ, અભ્યાસ અને ટ્રાયલ પછી જ મંજૂરી આપવામાં આવે છે. તથ્યો વિના રસી વિશે કશું કહી શકાય નહીં. કારણ કે આ રસી વિશે લોકોમાં બિનજરૂરી ખચકાટ પેદા કરશે.

જીનોમ સિક્વન્સિંગ માટે દેશમાં 36 લેબોરેટરી
મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વિશે દેશના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અભ્યાસ કરી રહ્યા છે. તમામ હકીકતો સામે આવ્યા બાદ આ અંગે પણ પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોના સતત તેનું સ્વરૂપ બદલતો રહે છે. જીનોમ સિક્વન્સિંગ (Genome sequencing) માટે દેશમાં 36 પ્રયોગશાળાઓ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ત્રીજો ડોઝ 9 મહિના બાદ લઈ શકાય, પણ જરૂરી નહી
દરમિયાન, ગઈકાલે આરોગ્ય મંત્રાલયે (Ministry of Health) સ્પષ્ટતા કરી કે બંને ડોઝ લેનારાઓ માટે, 9 મહિના સુધી ત્રીજો ડોઝ લેવાની જરૂર નથી. કોરોના વાયરસના (Corona Virus) નવા વેરીઅન્ટ, ખાસ કરીને ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) ના ખતરનાક વલણને ધ્યાનમાં રાખીને, વિશ્વભરમાં બૂસ્ટર ડોઝની માગ ઝડપથી વધી છે અને ભારતમાં પણ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવાની જોરદાર માગ છે.

આ પણ વાંચોઃ

Los Angeles Olympic : લોસ એન્જલસ ઓલિમ્પિકમાંથી બોક્સિંગ અને વેઈટલિફ્ટિંગ બહાર થવાનું જોખમ, IOCએ સુધારા માટે 18 મહિનાનો સમય આપ્યો

આ પણ વાંચોઃ

Gram Panchayat Election : રાજકોટના ઉપલેટા તાલુકાના આ ગામમાં આઝાદી બાદ એક પણ ચૂંટણી યોજાઇ નથી, ફરી ગામનું સુકાન નારી શક્તિને સોંપાયું

 

Next Article