ભારત આ દેશો પાસેથી કરી રહ્યું છે ખાદ્ય તેલની ખરીદી, જાણો ક્યારે સસ્તું થશે તેલ ?

SEA એ જણાવ્યું હતું કે મૂલ્યની દ્રષ્ટિએ, ખાદ્ય તેલની આયાત વર્ષ 2021-21માં રૂ. 1,17,000 કરોડ હતી જે વર્ષ 2019-20માં રૂ. 71,625 કરોડ હતી.

ભારત આ દેશો પાસેથી કરી રહ્યું છે ખાદ્ય તેલની ખરીદી, જાણો ક્યારે સસ્તું થશે તેલ ?
Edible Oil Price
| Edited By: | Updated on: Nov 16, 2021 | 5:46 PM

તેલ ઉદ્યોગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર મૂલ્યની દ્રષ્ટિએ ખાદ્ય તેલની (Edible Oils) આયાત 63 ટકા વધીને રૂ. 1.17 લાખ કરોડ થઈ છે. વનસ્પતિ તેલ માર્કેટિંગ વર્ષ, જેમાં ખાદ્ય તેલ અને અખાદ્ય તેલનો સમાવેશ થાય છે, નવેમ્બરથી ઓક્ટોબર સુધી ચાલે છે. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઓઈલ વર્ષ 2020-21 દરમિયાન વનસ્પતિ તેલની આયાત 135.31 લાખ ટન (1 કરોડ 35.3 લાખ ટન) નોંધાઈ છે, જે વર્ષ 2019-20 દરમિયાન 135.25 લાખ ટન હતી.

તેમાં કહેવામાં આવ્યું છે કે વનસ્પતિ તેલની આયાત છેલ્લા છ વર્ષમાં બીજી વખત સૌથી ઓછી છે. ડેટા અનુસાર, ખાદ્ય તેલની આયાત વર્ષ 2020-21માં ઘટીને 131.31 લાખ ટન થઈ છે જે અગાઉના વર્ષના 131.75 લાખ ટન હતી, જ્યારે બિન ખાદ્ય તેલની આયાત 3,49,172 ટનથી વધીને 399,822 ટન થઈ છે.

ભારત કયા દેશોમાંથી ખાદ્ય તેલ ખરીદે છે?
ઈન્ડોનેશિયા અને મલેશિયા ભારતમાં RBD પામોલીન અને ક્રૂડ પામ ઓઈલના મુખ્ય સપ્લાયર છે. ક્રૂડ સોયાબીન તેલ મુખ્યત્વે આર્જેન્ટિના અને બ્રાઝિલમાંથી આયાત કરવામાં આવે છે જ્યારે ક્રૂડ સૂર્યમુખી તેલ મુખ્યત્વે યુક્રેન, રશિયા અને આર્જેન્ટિનામાંથી આયાત કરવામાં આવે છે. કુલ 17,05,000 ટન સુધી લઈ જાય છે. 1 ઓક્ટોબર સુધીમાં સ્ટોક 20.05 લાખ ટનથી ઘટી ગયો છે.

SEA એ જણાવ્યું હતું કે મૂલ્યની દ્રષ્ટિએ, ખાદ્ય તેલની આયાત વર્ષ 2021-21માં રૂ. 1,17,000 કરોડ હતી જે વર્ષ 2019-20માં રૂ. 71,625 કરોડ હતી. એસોસિએશને જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્ય તેલ પરની આયાત ડ્યૂટીમાં વારંવાર કરવામાં આવતા ફેરફારોને કારણે આયાત પ્રથાને પણ ખલેલ પહોંચાડી છે.

સરસવનું તેલ સસ્તું થઈ શકે છે
તેલીબિયાંમાં આત્મનિર્ભર બનવા માટે, કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે પણ ખેડૂતોને તેમના ખેતરોમાં ઉપયોગ માટે ઉચ્ચ ઉપજ આપતી જાતોના બીજની ઉપલબ્ધતા વધારીને તેલીબિયાંની ઉત્પાદકતા વધારવા પર ભાર મૂક્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં, સામાન્ય કારોબારની વચ્ચે મગફળી તેલ અને તેલીબિયાંના ભાવ ઘટાડા સાથે બંધ થયા હતા. રજાઓના કારણે ટૂંકા ટ્રેડિંગ સેશન સાથે સપ્તાહ દરમિયાન મગફળીમાં ઘટાડાની અસર મંગળવારે ગુજરાતમાં જ્યારે મંડીઓ ખુલશે ત્યારે વધુ સ્પષ્ટ થશે.

 

આ પણ વાંચો : ખુશખબર! આ ખેડૂતોને મળશે 2 હજારને બદલે 4 હજાર રૂપિયા, આ રીતે લીસ્ટમાં ચેક કરો તમારૂ નામ

આ પણ વાંચો : સ્ટોક લિમિટ લાદવાના સમાચારથી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થયો, હજુ પણ ઘટી શકે છે તેલના ભાવ