Earthquake: આંદામાન અને નિકોબાર અને પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા, 4.3ની તીવ્રતા

|

Nov 08, 2021 | 6:53 AM

આ આંચકા સવારે 5.28 કલાકે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 છે.

Earthquake: આંદામાન અને નિકોબાર અને પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા, 4.3ની તીવ્રતા
File photo

Follow us on

સોમવારે વહેલી સવારે પોર્ટ બ્લેર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા સવારે 5.28 કલાકે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 છે.

 

અગાઉ પૂર્વોત્તર રાજ્ય સિક્કિમમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રવિવારે રાત્રે 9.50 કલાકે અહીં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર સિક્કિમની રાજધાની ગંગટોકથી લગભગ 18 કિમી દૂર હતું. મળતી માહિતી મુજબ, સિક્કિમના પડોશમાં આવેલા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

તે જ સમયે, 11 સપ્ટેમ્બરના રોજ સવારે 8:50 વાગ્યે આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. જો કે આમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.ભૂકંપનું કેન્દ્ર આંદામાન અને નિકોબારના દિગલીપુરથી 137 કિમી ઉત્તરમાં હતું.

 

ભૂકંપનું મુખ્ય કારણ
ધરતીકંપનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યારે તેમની વચ્ચે અથડામણ થાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે. આવી સ્થિતિમાં, સપાટીના ખૂણાઓ વળી જાય છે અને ત્યાં દબાણ શરૂ થાય છે. આવી સ્થિતિમાં, પ્લેટ તૂટી જવાથી ઉત્પન્ન થતી ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. જેના કારણે પૃથ્વી ધ્રૂજવા લાગે છે.

રોજના હજારો ભૂકંપના આંચકા
2.0 થી ઓછી તીવ્રતાના ભૂકંપને માઈક્રો કેટેગરીમાં ગણવામાં આવે છે. આ કેટેગરીના લગભગ 8000 ભૂકંપ દરરોજ આવે છે. આ પછી 2.0 થી 2.9ની તીવ્રતાના ભૂકંપની કેટેગરી આવે છે, જેને માઇનોર કેટેગરી કહેવામાં આવે છે. આવા એક હજારથી વધુ ધ્રુજારી પણ રોજ આવે છે, પણ આપણને એનો અનુભવ થતો નથી. 3.0 થી 3.9ની તીવ્રતાના ધરતીકંપોને વેરી લાઇટ કેટેગરીમાં રાખવામાં આવે છે. અનુમાન મુજબ, એક વર્ષમાં આવા 49 હજાર આંચકા અનુભવાય છે. પરંતુ તેઓ ભાગ્યે જ કોઈ નુકસાન કરે છે. 4 થી 4.9 તીવ્રતાના ધરતીકંપો એટલે કે લાઈટ કેટેગરી  વર્ષમાં લગભગ 6200 વખત નોંધાય છે. તેઓ બહુ ઓછું નુકસાન પણ કરે છે.

કયા ધરતીકંપ ખતરનાક છે?
રિક્ટર સ્કેલ પર 5 ની તીવ્રતા સુધીના ધરતીકંપો સામાન્ય રીતે ખતરનાક નથી હોતા, પરંતુ આ વિસ્તારની રચના પર આધાર રાખે છે. જો ભૂકંપનું કેન્દ્ર નદી કિનારે હોય અને ત્યાં ભૂકંપ વિરોધી ટેક્નોલોજી વિના ઊંચી ઇમારતો બાંધવામાં આવી હોય તો 5ની તીવ્રતાનો ભૂકંપ પણ ખતરનાક બની શકે છે.

આ પણ વાંચો : The Kapil Sharma Show: અક્ષય કુમારે જણાવ્યું કે કેમ સૂર્યવંશીને રિલીઝ કરવા માટે થિયેટર ખોલવાની જોઈ રાહ

આ પણ વાંચો : Ramayana Train: રામાયણ યાત્રા માટે દિલ્હીથી રવાના થઈ પ્રથમ ટ્રેન, ભગવાન રામથી જોડાયેલા તીર્થસ્થળોના થશે દર્શન, જાણી લો ભાડુ

Published On - 6:35 am, Mon, 8 November 21

Next Article