‘પહેલા યુવાનો પથ્થરમારો કરતા હતા, પરંતુ હવે તેઓ વિકાસની યોજનાઓમાં જોડાઈ રહ્યા છે’, કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નિવેદન

|

Oct 21, 2022 | 11:26 AM

અમિત શહા (Amit Shah) જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિશે કહ્યું કે, પહેલા યુવાનો પથ્થરબાજીમાં સામેલ હતા, પરંતુ હવે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ વિકાસ યોજનાઓમાં સામેલ થઈ રહ્યા છે.

પહેલા યુવાનો પથ્થરમારો કરતા હતા, પરંતુ હવે તેઓ વિકાસની યોજનાઓમાં જોડાઈ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

Follow us on

પોલીસ સંભારણા દિવસ (Police Commemoration Day)  પર, ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. જે દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિશે કહ્યું કે, પહેલા યુવાનો પથ્થરબાજીમાં સામેલ હતા, પરંતુ હવે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ વિકાસ યોજનાઓમાં સામેલ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની આંતરિક સુરક્ષાના મામલામાં સકારાત્મક ફેરફારો થયા છે. અગાઉ દેશના પૂર્વોત્તર રાજ્યો અને જમ્મુ-કાશ્મીરમાં આવી ઘણી મોટી ઘટનાઓ બનતી હતી. પહેલા સુરક્ષા દળોને વિશેષ સત્તા આપવામાં આવતી હતી, પરંતુ હવે યુવાનોને તેમના વિકાસ માટે વિશેષ સત્તા આપવામાં આવી છે. તેનાથી હિંસા ઘટી છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં પૂર્વોત્તર રાજ્યો, જમ્મુ-કાશ્મીર, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે.

પોલીસકર્મીઓનું બલિદાન વ્યર્થ નહીં જાયઃ અમિત શાહ

પોલીસ સંભારણા દિવસ પર, ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, ભારત આંતરિક સુરક્ષા, સરહદો પર સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરીને સર્વાંગી વિકાસના તેના લક્ષ્ય તરફ આગળ વધશે. તેમણે કહ્યું, ‘હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે પોલીસકર્મીઓનું બલિદાન વ્યર્થ નહીં જાય, કોઈપણ કિંમતે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરશે.’ આંતરિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષા કરતી વખતે 35,000 પોલીસ જવાનોએ પોતાનો જીવ આપ્યો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છેઃ અમિત શાહ

તેમણે કહ્યું કે ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત રાજ્યોમાં, એકલવ્ય શાળાઓમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે અને તેમની ઇમારતો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. શાહે કહ્યું કે દેશભરમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોના બલિદાનને કારણે જ ભારત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પોલીસ સ્મૃતિ દિવસ 10 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં 1959 માં ચીનના આક્રમણનો બદલો લેતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Next Article