ભારતમાં અહીં ગધેડાનો મેળો ભરાય છે! દિવાળી પર 9000 ગધેડા વેચાયા, ઔરંગઝેબે અહીંથી ખરીદ્યા હતા ખચ્ચર

|

Nov 06, 2021 | 9:56 PM

આપણે બધાએ નાનપણથી ઘણા મેળા જોયા હશે અને તેના વિશે સાંભળ્યું, જોયું અને મુલાકાત લીધી હશે, પરંતુ શું તમે ક્યારેય ગધેડાનો મેળો જોયો છે ? કદાચ તમે આ મેળા વિશે પહેલીવાર સાંભળી રહ્યા છો, પરંતુ ભારતનો એકમાત્ર ગધેડાનો મેળો મધ્ય પ્રદેશ જિલ્લાના સતનાના ધાર્મિક શહેર ચિત્રકૂટ(Chitrakoot)માં યોજાયો છે,

ભારતમાં અહીં ગધેડાનો મેળો ભરાય છે! દિવાળી પર 9000 ગધેડા વેચાયા, ઔરંગઝેબે અહીંથી ખરીદ્યા હતા ખચ્ચર
Donkeys fair is held here in India!

Follow us on

આપણે બધાએ નાનપણથી ઘણા મેળા જોયા હશે અને તેના વિશે સાંભળ્યું, જોયું અને મુલાકાત લીધી હશે, પરંતુ શું તમે ક્યારેય ગધેડાનો મેળો (Donkeys fair) જોયો છે? કદાચ તમે આ મેળા વિશે પહેલીવાર સાંભળી રહ્યા છો, પરંતુ ભારત(India)નો એકમાત્ર ગધેડાનો મેળો મધ્ય પ્રદેશ જિલ્લાના સતના(Satna)ના ધાર્મિક શહેર ચિત્રકૂટ(Chitrakoot)માં યોજાયો છે, વિવિધ રાજ્યોના વેપારીઓ ગધેડા અને ખચ્ચર સાથે ચિત્રકૂટ આવે છે. ગધેડા અને ખચ્ચર માટે અહીં બોલી લાગે છે. અહીં મેળો નિહાળનારાઓની સાથે-સાથે ખરીદદારોની પણ ભારે ભીડ જોવા મળે છે.

 

વાસ્તવમાં દિવાળીના બીજા દિવસથી પવિત્ર મંદાકિની નદીના કિનારે ગધેડાનો ઐતિહાસિક મેળો ભરાય છે. પરંતુ આ વખતે આ મેળામાં 15 હજાર જેટલા ગધેડા આવ્યા હતા. તે જ સમયે, વિવિધ કદ, રંગ અને જાતિના આ ગધેડાઓની કિંમત 10 હજાર રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીની છે. વેપારીઓએ પોતાની તપાસ કર્યા પછી ગધેડાઓની બોલી લગાવી અને ખરીદે છે. અહેવાલો અનુસાર છેલ્લા 2 દિવસમાં લગભગ 9 હજાર ગધેડા વેચાયા હતા. જેના કારણે આ મેળામાં વેપારીઓને 20 કરોડનો વેપાર થયો હતો.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

ઔરંગઝેબે મેળો શરૂ કર્યો હતો

આપને જણાવી દઈએ કે આ મેળાની શરૂઆત મુગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી આ મેળો પરંપરાગત રીતે ભરાઈ છે. આ મેળો 3 દિવસ સુધી ચાલે છે. જ્યાં મુઘલ શાસક ઔરંગઝેબની સેનામાં શસ્ત્રો અને લોજિસ્ટિક્સની અછત હતી, ત્યારે આખા વિસ્તારમાંથી ગધેડા, ખચ્ચર એકઠા કરવામાં આવતા હતા અને તેમના ગધેડા આ ક્ષેત્રમાં ખરીદવામાં આવતા હતા. ત્યારથી, દર વર્ષે વ્યવસાયની આ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવે છે.

 

દેશના આ અનોખા મેળાને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે, દિવાળીના બીજા દિવસથી ચિત્રકૂટની પવિત્ર મંદાકિની નદીના કિનારે આ 3 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, દૂર-દૂરથી આવતા લોકોની ભીડ જામે છે. તેઓ તેમના ગધેડા ખચ્ચર સાથે લાવે છે અને ખરીદી અને વેચાણ કરે છે. સાથે જ 3 દિવસીય મેળામાં લાખોનો વેપાર થાય છે.

 

કોરોના સમયગાળાને કારણે મેળામાં ઘટાડો જોવા મળ્યો છે

ઉલ્લેખનીય છે કે આથી આ મેળાનું ઐતિહાસિક મહત્વ પણ છે. ચિત્રકૂટ નગર પંચાયત દ્વારા દર વર્ષે દીપાવલી નિમિત્તે મંદાકિની નદીના કિનારે આવેલા મેદાનમાં ગધેડા મેળાનું આયોજન કરવામાં આવે છે, જેના બદલામાં ગધેડાના વેપારીઓ પાસેથી આવક વસૂલવામાં આવે છે. આ સાથે જ મેળાના સંચાલકો કહે છે કે આધુનિક યુગમાં ટ્રાન્સપોર્ટેશનનું સ્થાન મશીનોએ લીધું છે જેના કારણે ગધેડા અને ખચ્ચરના ભાવ અને નફામાં ઘટાડો થયો છે.

 

કોરોના કાળના કારણે અહીં 2 વર્ષ બાદ આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જો કે મેળામાં દરરોજ હજારોની સંખ્યામાં ગધેડા આવતા હતા, પરંતુ આ વખતે ઓછી સંખ્યામાં જ વેપાર થયો છે, કોરોના અને મોંઘવારીના કારણે અહી 2 વર્ષ બાદ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગધેડાનો ધંધો ઘટી રહ્યો છે.

 

આ પણ વાંચો: ખેડૂતો આ ઔષધીય પાકની ખેતીથી કરી રહ્યા છે લાખોમાં કમાણી, જેની કિંમત છે 10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, વિશ્વભરના દેશોમાં થાય છે નિકાસ

 

આ પણ વાંચો: ખેતીમાં પાણીની અછતને જળ સંચય થકી નિવારી શકાય! આ ગામના સફળ જળ સંચયના પ્રયાસથી ખેડૂતો બન્યા સમુદ્ધ

 

Next Article