ઓમિક્રોનના વધતા કેસ પર ડોક્ટરોએ આપી ચેતવણી, ગમે ત્યારે આવી શકે છે ત્રીજી લહેર, ડબલ માસ્ક અને ફેસ શિલ્ડનો ઉપયોગ કરો શરૂ

|

Dec 27, 2021 | 6:31 PM

દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન કેસના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે દરરોજ 100 થી વધુ કેસ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કોવિડ પ્રોટોકોલ અને તેને અનુરૂપ પ્રેક્ટિસ અપનાવવાની વાત શરૂ થઈ છે.

ઓમિક્રોનના વધતા કેસ પર ડોક્ટરોએ આપી ચેતવણી, ગમે ત્યારે આવી શકે છે ત્રીજી લહેર, ડબલ માસ્ક અને ફેસ શિલ્ડનો ઉપયોગ કરો શરૂ
ફાઈલ ફોટો

Follow us on

દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન કેસના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે દરરોજ 100 થી વધુ કેસ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કોવિડ પ્રોટોકોલ અને તેને અનુરૂપ પ્રેક્ટિસ અપનાવવાની વાત શરૂ થઈ છે. દિલ્હી AIIMSના આસિસ્ટન્ટ પ્રોફેસર અને RDAના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. એ.એસ. માલ્હીએ TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ત્રીજી લહેર ગમે ત્યારે આવી શકે છે અને તેથી માત્ર તકેદારી જ આપણને તેનાથી બચાવી શકે છે.

ડૉ. માલ્હીએ કહ્યું કે, સૌથી મોટી સમસ્યા હેલ્થકેર કર્મચારીઓની છે. તેમણે કહ્યું, “હાલમાં, કોઈપણ હોસ્પિટલની ઓપીડી અથવા સર્જરી વિભાગ બધું જ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ દર્દીઓમાં કોણ ચેપગ્રસ્ત છે અને કોણ નથી તે કોઈને ખબર નથી. ડૉક્ટરોએ ડબલ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આ તે છે જે તમને કોરોનાના સંભવિત જોખમથી બચાવી શકે છે.

ફેસ શિલ્ડ પણ જરૂરી છે

AIIMSના ડૉક્ટરોનું માનવું છે કે જો ઘણી જગ્યાએ ડબલ માસ્ક સાથે શક્ય હોય તો ફેસ શિલ્ડનો પણ ઉપયોગ કરવો જોઈએ. જે રીતે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેનાથી ચેપનું જોખમ ઘણું વધારે છે. આનાથી બચવાનો એક સારો રસ્તો છે પેશ શીલ્ડ. ડોકટરોને જો શક્ય હોય તો ઓપીડીમાં તેમના રોકાણ દરમિયાન પણ ફેસ શિલ્ડનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ મોટા ચેપનું જોખમ ટાળી શકાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટમાં હજુ પણ સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ છે. ઓમિક્રોન કેસ દરરોજ 100 થી 150 સુધી વધી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દેશમાં આવી 38 લેબ છે, જ્યાં જીનોમ સિક્વન્સિંગ કરી શકાય છે. આ સંદર્ભમાં, ઓમિક્રોનના કેસોનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું નથી.

દેશમાં એક દિવસમાં 156 કેસ વધ્યા

ભારતમાં, એક જ દિવસમાં ઓમિક્રોનના સૌથી વધુ 156 કેસ નોંધાયા છે અને આ સાથે દેશમાં કોરોના વાયરસના આ નવા પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 578 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે, ઓમિક્રોનથી સંક્રમિત 578 લોકોમાંથી 151 સાજા થઈ ગયા છે અથવા તો વિદેશ ગયા છે. ઓમિક્રોન ચેપના આ કેસ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. દિલ્હીમાં સૌથી વધુ 142, મહારાષ્ટ્રમાં 141, કેરળમાં 57, ગુજરાતમાં 49, રાજસ્થાનમાં 43 અને તેલંગાણામાં 41 છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના તથ્યોને ટાંકીને જણાવ્યું હતું કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ઝડપથી સમુદાયોમાં ફેલાઈ રહ્યો છે અને તેના કેસ 1.5 થી ત્રણ દિવસમાં બમણા થઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પણ શુક્રવારે ચેતવણી આપી હતી કે વિશ્વ કોવિડ-19 કેસની ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે.

 

આ પણ વાંચો: નવા વર્ષમાં બમ્પર નોકરીઓ આવશે, પરંતુ કોરોનાનું નવું સ્વરૂપ ચિંતા વધારી શકે છે

આ પણ વાંચો: AIIMS Recruitment 2021: AIIMS ગોરખપુરમાં પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Next Article