Delhi Liquor Case: કોર્ટે મનીષ સિસોદિયાની ED કસ્ટડી 5 દિવસ માટે લંબાવી

|

Mar 17, 2023 | 5:14 PM

ED એમ કહીને મનીષ સિસોદિયાના રિમાન્ડની માંગણી કરી હતી કે તેઓ વારંવાર નિવેદન બદલી રહ્યા છે. તેઓને સામસામે બેસાડીને ત્રણ લોકોની પૂછપરછ કરવાની છે. જેમાં દિલ્હીના આબકારી કમિશનર અને એક IAS અધિકારીનો સમાવેશ થાય છે. ઇડી વતી ઝોહેબ હુસૈન હાજર રહ્યા હતા.

Delhi Liquor Case: કોર્ટે મનીષ સિસોદિયાની ED કસ્ટડી 5 દિવસ માટે લંબાવી

Follow us on

Delhi Liquor Case: મનીષ સિસોદિયાની ED કસ્ટડી વધુ 5 દિવસ માટે લંબાવવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવતા સિસોદિયાના રિમાન્ડ વધુ 5 દિવસ માટે લંબાવ્યા હતા. જોકે, કોર્ટે તેને તેના પરિવારના ખર્ચ અને તેની પત્નીના મેડિકલ ખર્ચ માટે રૂ. 40,000 અને રૂ. 45,000ના ચેક પર સહી કરવાની મંજૂરી આપી છે. અગાઉ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

મનીષ સિસોદિયા વારંવાર નિવેદન બદલી રહ્યા છે

ED એમ કહીને સિસોદિયાના રિમાન્ડની માંગણી કરી હતી કે તેઓ વારંવાર નિવેદન બદલી રહ્યા છે. તેઓને સામસામે બેસાડીને ત્રણ લોકોની પૂછપરછ કરવાની છે. જેમાં દિલ્હીના આબકારી કમિશનર અને એક IAS અધિકારીનો સમાવેશ થાય છે. ઇડી વતી ઝોહેબ હુસૈન હાજર રહ્યા હતા. બીજી તરફ મનીષ સિસોદિયાના વકીલે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ફોન બદલવાનો કેસ સીબીઆઈની કસ્ટડીનો ભાગ હતો, હવે તેના આધારે રિમાન્ડ આપી શકાય નહીં.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોર્ટમાં ED એ કહ્યું કે દારૂ કૌભાંડના પુરાવા નષ્ટ કરવા માટે 14 ફોન તોડવામાં આવ્યા

આ પહેલા દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની કસ્ટડીની માગ કરતા EDના વકીલ હુસૈને કહ્યું હતું કે પુરાવાનો નાશ કરવા માટે એક વર્ષમાં 14 ફોન તોડવામાં આવ્યા છે અથવા બદલવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાએ અન્ય લોકો દ્વારા ખરીદેલા ફોન અને સિમ કાર્ડ્સ (જે તેમના નામે નથી)નો ઉપયોગ કર્યો છે જેથી તે પછીથી તેનો બચાવ તરીકે ઉપયોગ કરી શકે. તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ ફોન પણ તેના નામે નથી.

EDએ કહ્યું કે, એક જૂથને ફાયદો પહોંચાડવા માટે જૂની દારૂની નીતિમાં તમામ ફેરફારો કરવામાં આવ્યા હતા. નિષ્ણાત સમિતિની ભલામણોની અવગણના કરવામાં આવી હતી અને જથ્થાબંધ વેપારીઓના નફામાં વધારો કરવામાં આવ્યો હતો. જેથી કેટલીક ખાનગી સંસ્થાઓને ભારે લાભ મળી શકે. પ્રોફિટ માર્જિન 6 થી 12 ટકા ફિક્સ કરવા માટે હિસ્સેદારો પાસેથી કોઈ સૂચનો લેવામાં આવ્યા નથી.

સિસોદિયાના તત્કાલિન સચિવને ટાંકીને EDના વકીલે કહ્યું કે તેમના સૂચન પછી પણ સિસોદિયાએ GOM રિપોર્ટને નબળો પાડ્યો હતો. સિસોદિયાના વકીલે કહ્યું કે, ED અનુસાર આ એક ખામીયુક્ત નીતિ છે. ચૂંટાયેલી સરકારો નીતિઓ બનાવે છે. તે વિવિધ સ્તરોમાંથી પસાર થાય છે. તે સરકાર, અમલદારો, નાણા અને કાયદા સચિવો દ્વારા પસાર થાય છે. પોલિસી એલજીને પણ મોકલવામાં આવી હતી.

Published On - 5:14 pm, Fri, 17 March 23

Next Article