ભાજપવાળા ધમકી આપે છે કે અમારી પાસે ED-CBI છે, પણ અમે ડરવાના નથી, જેલમાં જવા માટે પણ તૈયાર: અરવિંદ કેજરીવાલ

|

Jul 05, 2022 | 4:59 PM

અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે ભાજપ હવે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાથી ડરે છે. તેમણે કહ્યું કે પાર્ટી હારના ડરથી દિલ્હીમાં MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણી સ્થગિત કરી રહી છે.

ભાજપવાળા ધમકી આપે છે કે અમારી પાસે ED-CBI છે, પણ અમે ડરવાના નથી, જેલમાં જવા માટે પણ તૈયાર: અરવિંદ કેજરીવાલ
Arvind Kejriwal

Follow us on

દિલ્હી વિધાનસભામાં સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ હવે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાથી ડરે છે. તેમણે કહ્યું કે પાર્ટી હારના ડરથી દિલ્હીમાં MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણી સ્થગિત કરી રહી છે. અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે મને લાગે છે કે તે દેશ માટે કાળો દિવસ હતો, જ્યારે માત્ર આ દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને મોહલ્લા ક્લિનિકનો કોન્સેપ્ટ આપનાર સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી. તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, પરંતુ લોકો હજુ પણ તેના પર વિશ્વાસ કરે છે. તેઓ કહે છે કે તે પ્રામાણિક છે.

સીએમએ કહ્યું કે તેઓ (વિપક્ષ) કહેતા હતા કે દિલ્હીના શિક્ષકો ભણાવતા નથી. આ એ જ શિક્ષકો છે, અમે તેમને બદલ્યા નથી. તેઓએ ક્રાંતિ બતાવી છે. એકવાર એમસીડી અમારા હાથમાં આવી જશે તો આ જ સફાઈ કામદારો દિલ્હીનું નામ આખી દુનિયામાં રોશન કરશે. CMએ વિધાનસભામાં કહ્યું કે આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે પરંતુ કોઈનું વીજળીનું બિલ શૂન્ય નથી આવ્યું. પરંતુ AAPની સરકારમાં 24 કલાક વીજળી સળગવા છતાં ઝીરો બિલ આવી રહ્યું છે.

તેમની પાસે 15 વર્ષથી MCD હતી, પરંતુ તેણે કંઈ કર્યું નહીં

વધુમાંં કહ્યુ કે, દિલ્હીમાં બધે કચરાના પહાડો છે, તે ખૂબ જ દુઃખની વાત છે કે અમે દિલ્હીને સાફ નથી કરી શક્યા, મને ખૂબ જ લાગે છે કે જો અમારી પાસે MCD હોત તો અમે દિલ્હીને સાફ કરી દીધું હોત. તેમની પાસે 15 વર્ષથી MCD હતી, પરંતુ તેણે કંઈ કર્યું નહીં. હવે આ લોકો ચૂંટણી પણ નથી કરાવતા. તેઓએ ખુલ્લેઆમ હોબાળો મચાવ્યો છે કે અમે કામ કરીશું નહીં અને તમને કરવા પણ દઈશું નહીં. દિલ્હીવાસીઓથી બદલો લઈ રહ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

કેજરીવાલે ભાજપને ચોર અને ડાકુ કહ્યું

સીએમએ કહ્યું કે બીજેપીના લોકો કહે છે કે દિલ્હીના સફાઈ કર્મચારીઓ કામચોર છે, સફાઈ કર્મચારીઓ કામચોર નથી, તમે (વિપક્ષ) ચોર અને ડાકુ છો. કેજરીવાલે વધુમાં કહ્યું કે પહેલા આ (વિરોધી) લોકો સરકારી શિક્ષકો અને ડોક્ટરોને ગંદી અને અભદ્ર ગાળો આપતા અને કહેતા કે દિલ્હીના શિક્ષકો ભણાવતા નથી, તેઓ નકામા છે. આજે પણ એ જ 60 હજાર શિક્ષકો છે, અમે તેમને બદલ્યા નથી, પરંતુ આજે એ જ શિક્ષકોએ ક્રાંતિ કરી બતાવી છે.

Published On - 4:59 pm, Tue, 5 July 22

Next Article