આ આફતથી છુટકારો મેળવવા માટે છ રાજ્યો કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્રા, તમિલનાડુ, ગુજરાત અને ગોવામાં બચાવ દળ તહેનાત કરવામાં આવ્યો છે. જો કે ઈન્ટરનેટ પર તોફાન ખતરા સાથે સાથે તેના નામને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
લોકો અલગ અલગ પ્રકારની આશંકાઓ વ્યકત કરી રહ્યા છે. પરંતુ હકીકતના તૌકતે ચક્રવાતને તાઉતે કહેવામાં આવે છે. આ નામ મ્યાનમારે રાખ્યુ છે, જે એક બર્મી ભાષાનો શબ્દ છે. જેનો મતલબ છે વધારે અવાજ કરનારી ગરોળી. ચક્રવતી વાવાઝોડાના નામ રાખવા માટે એક પ્રક્રિયા હોય છે.
ચક્રવાતના નામ દુનિયાભરના એ ચેતવણી કેન્દ્ર રાખે છે, જે હવામાન વિભાગ અંતર્ગત આવે છે. WMO સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગના ટ્રોપિકલ સાઈક્લોન પેનલમાં 13 દેશ છે. આ દેશોમાં ભારત સિવાય પાકિસ્તાન, માલદીવ, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાક, કતર, સંયુક્ત અરબ અમીરાત અને યમન સામેલ છે. ગયા વર્ષે 13 દેશો દ્વારા સૂચવેલા નામના આધાર પર ચક્રવાતોના 169 નામની એક સૂચી તૈયાર કરવામાં આવી હતી.