CYCLONE MOCHA: ‘મોચા’ તોફાને પકડ્યો વેગ, NDRFની ટીમોને તૈનાત કરાઈ

વાવાઝોડાની તૈયારીઓ એકદમ નક્કર છે. કોસ્ટ ગાર્ડની ટીમને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ ડિઝાસ્ટર રિલીફ ટીમની રચના કરવામાં આવી છે, જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય બની છે.

CYCLONE MOCHA: મોચા તોફાને પકડ્યો વેગ, NDRFની ટીમોને તૈનાત કરાઈ
cyclone mocha
| Edited By: | Updated on: May 11, 2023 | 4:52 PM

બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં દબાણનું ક્ષેત્ર વધી જતાં તે ગુરુવારે વધુ આકરું બન્યું અને ત્યારબાદ તેને ચક્રવાતી તોફાન મોચાનું (CYCLONE MOCHA) રૂપ લીધું હતું. આ ચક્રવાત મોચા છેલ્લા છ કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતું જોવા મળ્યું હતું અને તે સંપૂર્ણ ચક્રવાતી તોફાનમાં આકરું બન્યું હતું. આ ચક્રવાતની ઝડપ આઠ કિમી પ્રતિ કલાકની હોવાનું સામે આવ્યું છે. ચક્રવાત મોચાની જાણ થતાં જ પૂર્વ ભારતના રાજ્યોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે.

પૂર્વ મિદનાપુરમાં NDRFની ત્રણ ટીમો તૈનાત છે. તેમને રામનગર 1 બ્લોક, રામનગર 2 અને હલ્દિયામાં તૈનાત કરવામાં આવ્યા છે. બાકીની બે ટીમોને દક્ષિણ 24 પરગણાના ગોસાબા કુલતલી અને કાકદ્વિપમાં તૈનાત કરવામાં આવી છે. ઉત્તર 24 પરગણાના હિંગલગંજ અને સંદેશખાલીમાં એક ટીમ એલર્ટ મોડમાં છે. વાવાઝોડાની તૈયારીઓ એકદમ નક્કર છે. કોસ્ટ ગાર્ડની ટીમને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ ડિઝાસ્ટર રિલીફ ટીમની રચના કરવામાં આવી છે, જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય બની છે.

ક્યારે ટકરાશે આ ચક્રવાત મોચા?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં સર્જાયેલ દબાણ ક્ષેત્ર ચક્રવાતી તોફાન બની રહ્યું છે. 12 મેની બપોર સુધીમાં તે ખૂબ જ ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ જશે. એવું માનવામાં આવે છે કે ચક્રવાત 14 મેની સવારે બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાનમારના કુકપ્યુ સાથે ટકરાઈ શકે છે.

દરિયાકાંઠે અથડાતી વખતે મોચાની ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જો કે પશ્ચિમ બંગાળ પર તેની અસર હજુ સ્પષ્ટ નથી. પરંતુ બંગાળ સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક જરૂરી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય બની છે.

માછીમારો અને જહાજોને સલાહ મળી

હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનની તીવ્રતાના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થઈ શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓના માછીમારોને 13 મે સુધી દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ચક્રવાતી હવામાનને ધ્યાનમાં રાખીને જહાજોને પણ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.