Cyclone Jawad: આંધ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાક મહત્વપૂર્ણ, પવનની ઝડપ 110 કિમી પ્રતિ કલાક રહી શકે છે

|

Dec 04, 2021 | 12:42 PM

વાવાઝોડાની આ ગતિ એટલી ઝડપી છે કે વીજળીના થાંભલા પણ ઉખડી શકે છે. જોખમને જોતા વહીવટીતંત્રે માછીમારોને દરિયામાં ન જવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ સામાન્ય લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

Cyclone Jawad: આંધ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાક મહત્વપૂર્ણ, પવનની ઝડપ 110 કિમી પ્રતિ કલાક રહી શકે છે
Cyclone Jawad: Important for next 24 hours for Andhra, Odisha and West Bengal, wind speed may reach 110 kmph

Follow us on

Cyclone Jawad Updates: ચક્રવાત જવાદ (Cyclone Jawad) શનિવારે ઉત્તર આંધ્ર પ્રદેશમાં પહોંચવાની ધારણા છે, જેના માટે સરકારે પ્રયાસો તેજ કર્યા છે. ત્રણ જિલ્લામાંથી 54,008થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઓડિશાએ 19 જિલ્લાઓમાં શાળાઓ અને કેટલીક ઓફિસો બંધ કરી દીધી છે. NDRFની 64 ટીમો આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ (West bangal) અને ઓડિશા (Odissa)સહિત પૂર્વ રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરી (Relief and rescue operations) માટે તૈનાત કરવામાં આવી છે. 

 

આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા દરિયાકાંઠાના રાજ્યો માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવામાન વિભાગ (IMD on Cyclone Jawad) અનુસાર, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની આ ગતિ એટલી ઝડપી છે કે વીજળીના થાંભલા પણ ઉખડી શકે છે. જોખમને જોતા વહીવટીતંત્રે માછીમારોને દરિયામાં ન જવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ સામાન્ય લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓડિશામાં કાર્યક્રમો રદ

ઓડિશાના પુરી જિલ્લામાં ચાલી રહેલ શાસ્ત્રીય નૃત્ય ઉત્સવ અને રેતી કલાનો કાર્યક્રમ શુક્રવારે ચક્રવાતી તોફાન જવાદને કારણે રદ કરવામાં આવ્યો છે. પુરીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ કહ્યું, “સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. ચક્રવાત પછી વીજળી અને પીવાના પાણીના પુરવઠા જેવી સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે ટીમો તૈયાર છે. શેલ્ટર હોમમાં રહેતા લોકોને ગરમ ખોરાક આપવામાં આવી રહ્યો છે.

જવાદની અસરને કારણે ઉત્તર આંધ્રપ્રદેશ અને કોસ્ટલ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજથી ભારે વરસાદની સંભાવના છે. બંગાળમાં વરસાદ પડશે. જવાદ હાલમાં પુરીથી 400 કિમી દૂર છે. ઓડિશા પહોંચવા પર તેની સ્પીડ 50 કિમી પ્રતિ કલાક હશે તેમ IMD ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યુ હતું.

આ જિલ્લામાં પરીક્ષા નહી યોજાય

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ એક નોટિસમાં જણાવ્યું છે કે UGC-NET 2020, જૂન 2021 ની પરીક્ષાનું શેડ્યૂલ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ, પુરી, ભુવનેશ્વર, ઓડિશાના કટક, ગંજમ જિલ્લાના બેરહમપુર અને રાયગઢ જિલ્લાના ગુનુપુર કેન્દ્રો માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું છે. છે. એનટીએએ જણાવ્યું હતું કે કોલકાતા અને પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, ઓડિશામાં ભુવનેશ્વર, કટક અને સંબલપુરમાં આઇઆઇએફટીના એમબીએ (ઇન્ટરનેશનલ બિઝનેસ) અભ્યાસક્રમો માટેની પ્રવેશ પરીક્ષાઓ; અને આંધ્રપ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમ કેન્દ્રો પર મુલતવી રાખવામાં આવ્યું છે.

 

 

Next Article