Cyclone Asani: ચક્રવાત ‘આસની’ને લઈને હાઈ એલર્ટ, થોડા કલાકોમાં ત્રાટકી શકે છે, આંદામાનમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે

|

Mar 22, 2022 | 7:20 AM

IMD એ સોમવારે રાત્રે 8.30 વાગ્યે જારી કરેલા બુલેટિનમાં જણાવ્યું હતું કે આગામી 12 કલાક દરમિયાન તે વધુ તીવ્ર બનીને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

Cyclone Asani: ચક્રવાત આસનીને લઈને હાઈ એલર્ટ, થોડા કલાકોમાં ત્રાટકી શકે છે, આંદામાનમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે
High alert for cyclone 'Asani' (Symbolic Image)

Follow us on

Cyclone Asani: ભારતીય હવામાન વિભાગે (India Meteorological Department) જણાવ્યું હતું કે ઉત્તર આંદામાન સમુદ્ર પરનું ઊંડું દબાણ મંગળવારે ચક્રવાતી વાવાઝોડા(Cyclonic storm)માં રૂપાંતરિત થઈ શકે છે અને બુધવારે મ્યાનમારના થંડવે કિનારાને પાર કરી શકે છે. તે સોમવારે ઉત્તર આંદામાન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું હતું અને 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું.તે IST સાંજે 5.30 વાગ્યે આંદામાન ટાપુઓમાં માયાબંદરથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં અને મ્યાનમારના થંડવે કિનારે 570 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત હતું.

IMD એ સોમવારે રાત્રે 8.30 વાગ્યે જારી કરેલા બુલેટિનમાં જણાવ્યું હતું કે આગામી 12 કલાક દરમિયાન તે વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. એકવાર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જાય પછી શ્રીલંકાના સૂચન મુજબ હવામાન પ્રણાલીનું નામ ‘આસની’ રાખવામાં આવશે. IMD એ કહ્યું કે તે આંદામાન ટાપુઓથી લગભગ ઉત્તર તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 23 માર્ચના પ્રારંભિક કલાકો દરમિયાન થંડવે (મ્યાનમાર) ની આસપાસ 18°N અને 19°N અક્ષાંશો વચ્ચે મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરશે.

અધિકારીઓએ જણાવ્યું કે નીચાણવાળા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઉત્તર અને મધ્ય આંદામાન અને દક્ષિણ આંદામાન જિલ્લાઓમાં અસ્થાયી રાહત શિબિરોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આંતર-ટાપુ ફેરી સેવાઓ સ્થગિત કરવામાં આવી છે અને ખરાબ હવામાનને કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. લગભગ 150 NDRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને ટાપુના વિવિધ ભાગોમાં છ રાહત શિબિરો ખોલવામાં આવી છે.લોંગ આઇલેન્ડમાં સવારે 8.30 વાગ્યા સુધી 131 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે પોર્ટ બ્લેરમાં 26.1 મીમી વરસાદ નોંધાયો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કેન્દ્રશાસિત પ્રદેશના ત્રણેય જિલ્લામાં કંટ્રોલ રૂમ પણ ખોલવામાં આવ્યા છે. મેટ ઓફિસે આગામી બે દિવસ માટે તમામ પ્રવાસન અને માછીમારી પ્રવૃત્તિઓને સ્થગિત કરવાની સલાહ આપી છે. માછીમારોને સોમવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને સોમવાર અને મંગળવારે આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો-Video: પહેલા પીએમ મોદીને દંડવત પ્રણામ કર્યા, પછી પદ્મશ્રી એવોર્ડ લેવા પહોંચ્યા યોગ ગુરુ સ્વામી શિવાનંદ
આ પણ વાંચો-Cyclone Asani: ચક્રવાત ‘આસની’ના કારણે આંદામાનના કેટલાક ભાગોમાં વરસાદ, ભારે પવનો બની આફત, IMDએ આપ્યુ એલર્ટ
Next Article