કોરોના મહામારીએ કર્મચારી પ્રોવિડન્ડ ફંડ (EPF) ધારકોને વ્યાજદરની ચૂકવણી પ્રભાવિત કરી છે. કર્મચારી ભવિષ્યનિધી સંગઠન (EPFO) બોર્ડની મળેલી બેઠકમાં નાણાકીય વર્ષે 2019-2020 માટેના વ્યાજદરની ચૂકવણી બે ભાગમાં કરાશે. કર્મચારી ભવિષ્યનિધી 8.5 ટકા વ્યાજ 8.15 અને 0.35 ટકા એમ બે ભાગમાં વહેચશે.
દેશમાં આજે આશરે 6 કરોડ લોકો પ્રોવિડન્ડ ફંડ ધારક છે. જેમને નાણાકીય વર્ષ 2019-2020 માટે પ્રોવિડન્ડ ફંડમાં જમા રકમ ઉપર 8.5 ટકા વ્યાજ બે હપ્તે ચુકવવાનો નિર્ણય કરાયો છે. જે પાકી 8.15 ટકા એક સાથે અને બાકીના 0.35 ટકા વ્યાજ ડીસેમ્બર સુધીમાં ખાતામાં જમા કરાવાશે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોનાને લઈને નાણાકીય સ્થિતિને ધ્યાને રાખીને કર્મચારી ભવિષ્યનિધી સંગઠનના બોર્ડે આ નિર્ણય કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:05 pm, Wed, 9 September 20