Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ભયાનક દૃશ્યો, જુઓ Video

ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા હવે વધી શકે છે. બીજી તરફ, ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.

Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ભયાનક દૃશ્યો, જુઓ Video
coromandel express train accident in odisha Video
| Edited By: | Updated on: Jun 03, 2023 | 8:29 AM

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બહનાગા રેલવે સ્ટેશન પાસે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા હવે વધી શકે છે. બીજી તરફ, ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

આ પણ વાંચો: Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ, ઘણા રૂટ ડાયવર્ટ, જાણો સંપૂર્ણ યાદી

અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે સાંજે લગભગ 7 વાગે હાવડા-બેંગલુરુ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ઓડિશાના બેહંગાબજાર નજીકના ટ્રેક પર પડ્યા હતા. દરમિયાન, 12841 શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ તે ટ્રેક પર આવી અને પલટી ગયેલા કોચ સાથે અથડાઈ. જેના કારણે કોરોમંડલના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બાજુના ટ્રેક પરથી પસાર થતી માલગાડી સાથે અથડાઈ. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. બાદમાં NDRF, રાજ્ય સરકાર અને એરફોર્સે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી.

સાત કોચ પલટી, 15 પાટા પરથી ઉતરી ગયા

અકસ્માતમાં કોરોમંડલ એક્સપ્રેસના સાત ડબ્બા પલટી ગયા, ચાર ડબ્બા રેલ સીમાની બહાર ગયા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કુલ 15 કોચ પાટા પરથી ઉતરી ગયા છે.

વળતરની જાહેરાત કરી

અકસ્માત પછી, રેલવે મંત્રાલયે વળતરની જાહેરાત કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના નજીકના પરિજનોને રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી આપવાની જાહેરાત કરી હતી.

 

Published On - 8:25 am, Sat, 3 June 23