આદિપુરુષ વિવાદ વચ્ચે હવે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, કહ્યું- શું સેન્સર બોર્ડ ધૃતરાષ્ટ્ર બની ગયું છે?

અખિલેશ યાદવે આ ફિલ્મની ટીકા કરતા કહ્યું કે જેઓ રાજનીતિના આકાઓના પૈસાથી એજન્ડા સાથે મનફાવે તેવી ફિલ્મો બનાવીને સામાન્ય માણસના વિશ્વાસ સાથે રમત રમી રહ્યા છે, તેઓ તેમના રાજકીય ચરિત્રનું પ્રમાણપત્ર પણ છે. ત્યારે આ મામલે અખિલેશ યાદવે સેન્સર બોર્ડને સવાલ પૂછ્યો કે શું સેન્સર બોર્ડ ધૃતરાષ્ટ્ર બની ગયું છે?

આદિપુરુષ વિવાદ વચ્ચે હવે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, કહ્યું- શું સેન્સર બોર્ડ ધૃતરાષ્ટ્ર બની ગયું છે?
Controversy over the film Adipurush
| Edited By: | Updated on: Jun 19, 2023 | 3:50 PM

ફિલ્મ આદિપુરુષને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મના વિવાદાસ્પદ ડાયલોગ અને સીનને હટાવવાની માગણી કરતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. હિન્દુ સેનાની અરજી પર આજે સુનાવણી થવાની છે. ફિલ્મને લઈને રાજકીય સ્તરે પણ આકરી ટીકા થઈ રહી છે. હવે આ મામલે રાજકીય નેતાઓ પણ ફિલ્મની આકરી ટીકા કરી રહ્યા છે ત્યારે અખિલેશ યાદવે સવાલ ઉઠાવ્યો કે શું સેન્સર બોર્ડ ધૃતરાષ્ટ્ર બની ગયું છે?

અખિલેશ યાદવે સેન્સર બોર્ડ પર ઉઠાવ્યા સવાલ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આ ફિલ્મની ટીકા કરતા કહ્યું કે જેઓ રાજનીતિના આકાઓના પૈસાથી એજન્ડા સાથે મનફાવે તેવી ફિલ્મો બનાવીને સામાન્ય માણસના વિશ્વાસ સાથે રમત રમી રહ્યા છે, તેઓ તેમના રાજકીય ચરિત્રનું પ્રમાણપત્ર પણ છે. ત્યારે આ મામલે અખિલેશ યાદવે સેન્સર બોર્ડને સવાલ પૂછ્યો કે શું સેન્સર બોર્ડ ધૃતરાષ્ટ્ર બની ગયું છે?

મર્યાદાનું ઉલ્લઘન: સ્વામી પ્રસાદ મૌર્ય

પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ ફિલ્મ વિશે કહ્યું કે મનોજ મુંતશિર અને ઓમ રાઉતે રામાયણના આદિપુરુષના તમામ પાત્રો જેમ કે મર્યાદા પુરુષોત્તમ રામ, રાવણ, લક્ષ્મણ અને હનુમાનના ડાયલોગ એવા બનાવ્યા છે કે જેમાં અભદ્ર, સ્તરહીન ગુંડાઓ, મવાલી અને ટપોરીઓની ભાષા વપરાઈ છે, તેની મજાક ઉડાવવામાં આવી છે. ફિલ્મ બનાવનારે મર્યાદાનું ઉલ્લઘન કર્યુ છે. શું આનાથી સનાતન ધર્મનું કોઈ અપમાન થયું નથી? આજે તે અવાચક કેમ છે?

રાજીવ ગાંધીના સમયની રામાયણ જુઓઃ દિગ્વિજય સિંહ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પણ રામની પવિત્ર કથાને કેવી રીતે મજાક બનાવવામાં આવી તેની ટીકા કરી હતી. અમે દિલગીર છીએ. જુઓ રાજીવના સમયનું ‘રામાયણ’ અને હવે નરેન્દ્ર મોદીના સમયનું ‘આદિપુરુષ’. આરએસએસના લોકો ભગવાન રામને ભગવાનનો અવતાર માનતા નથી. તેઓ તેમને ‘આદિપુરુષ’ માને છે.

દિગ્વિજય સિંહે ફિલ્મની કરી ટીકા

આ ફિલ્મ પર કટાક્ષ કરતા ભાજપના સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યું, “સુયોજિત વ્યૂહરચના હેઠળ હિન્દુત્વ પ્રત્યેની આસ્થા અને આદરને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં જે રીતે ભગવાન રામ અને માતા સીતા, હનુમાનજીની વેશભૂષા અને સંવાદો ખૂબ જ વાંધાજનક છે. ભગવાન રામ અને શ્રી કૃષ્ણ આપણા દરેક ભાગમાં છે, તેમની છબીને વિકૃત રીતે રજૂ કરવાનો કોઈપણ પ્રયાસ સ્વીકારવામાં આવશે નહીં.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો