કોંગ્રેસે પૂર્વોતર રાજ્યોનો ATM તરીકે ઉપયોગ કર્યો, અમે તેમને ‘અષ્ટલક્ષ્મી’ માનીએ છીએઃ MODI

વડા પ્રધાને (PM MODI)ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ નાગાલેન્ડને ચલાવવા માટે ત્રણ મંત્ર અપનાવ્યા છે - શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ. તેમણે કહ્યું કે ભાજપે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચારમાં મોટો ફટકો માર્યો છે,

કોંગ્રેસે પૂર્વોતર રાજ્યોનો ATM તરીકે ઉપયોગ કર્યો, અમે તેમને અષ્ટલક્ષ્મી માનીએ છીએઃ MODI
| Edited By: | Updated on: Feb 24, 2023 | 2:55 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દાવો કર્યો હતો કે કોંગ્રેસે પૂર્વોત્તરનો ATM તરીકે ઉપયોગ કર્યો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રદેશના આઠ રાજ્યોને ‘અષ્ટલક્ષ્મી’ માને છે અને અહીં શાંતિ અને વિકાસ માટે કામ કરી રહી છે. દીમાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા, તેમણે કહ્યું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) રાજ્યમાંથી સશસ્ત્ર દળો (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, 1958ને સંપૂર્ણપણે રદ કરીને નાગાલેન્ડમાં કાયમી શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

તેમણે કહ્યું, “દેશ પોતાના લોકો પર અવિશ્વાસ કરીને નથી ચાલતો, પરંતુ પોતાના લોકોનું સન્માન કરીને અને તેમની સમસ્યાઓ ઉકેલવાથી ચાલે છે. પહેલા પૂર્વોત્તરમાં વિભાજનની રાજનીતિ હતી, હવે અમે તેને દૈવી શાસનમાં ફેરવી દીધું છે. ભાજપ ધર્મ અને પ્રદેશના આધારે લોકો સાથે ભેદભાવ કરતી નથી.

કોંગ્રેસના શાસન દરમિયાન નાગાલેન્ડમાં રાજકીય અસ્થિરતાનો ઉલ્લેખ કરતા, તેમણે દાવો કર્યો કે દેશની સૌથી જૂની પાર્ટીએ દિલ્હીથી રિમોટ કંટ્રોલ દ્વારા પૂર્વોત્તરને નિયંત્રિત કર્યું અને તેના વિકાસ માટે ફાળવવામાં આવેલા ભંડોળને ડાયવર્ટ કરીને દિલ્હીથી દીમાપુર સુધી વંશવાદી રાજકારણને પ્રાથમિકતા આપી.

વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ નાગાલેન્ડને ચલાવવા માટે ત્રણ મંત્ર અપનાવ્યા છે – શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ. તેમણે કહ્યું કે ભાજપે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચારમાં મોટો ફટકો માર્યો છે, જેના પરિણામે દિલ્હીથી મોકલવામાં આવેલા પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે.

 

વડા પ્રધાને 27 ફેબ્રુઆરીના નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ચુમૌકેદિમા જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ બીજેપી-એનડીપીપીની રેલીમાં હાજરી આપી હતી, જે માત્ર બે જ પક્ષો છે જેણે ચૂંટણી પૂર્વે જોડાણ કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું, “દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓએ ક્યારેય નાગાલેન્ડ તરફ જોયું નથી, અને રાજ્યમાં સ્થિરતા અને સમૃદ્ધિને ક્યારેય મહત્વ આપ્યું નથી. કોંગ્રેસ હંમેશા દિલ્હીથી રિમોટ કંટ્રોલ પર નાગાલેન્ડની સરકાર ચલાવે છે. દિલ્હીથી દીમાપુર સુધી, કોંગ્રેસ પારિવારિક રાજકારણમાં સંડોવાયેલી છે,” એમ મોદીએ કહ્યું.

(PTI-ભાષાંતર)

Published On - 2:29 pm, Fri, 24 February 23