રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા જવાના વિરોધમાં આજે કોંગ્રેસનો સત્યાગ્રહ, રાજઘાટ પર ભેગા થશે દિગ્ગજો

|

Mar 26, 2023 | 10:54 AM

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે તમામ રાજ્ય એકમોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે, ન્યાયની આ લડાઈમાં રાહુલ ગાંધી એકલા નથી, લાખો કોંગ્રેસીઓ અને કરોડો લોકો તેમની સાથે ઉભા છે.

રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા જવાના વિરોધમાં આજે કોંગ્રેસનો સત્યાગ્રહ, રાજઘાટ પર ભેગા થશે દિગ્ગજો
Congress Satyagraha today

Follow us on

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રવિવારે દેશવ્યાપી સત્યાગ્રહ કરશે. પાર્ટી અનુસાર, રાહુલ ગાંધી સાથે એકતા વ્યક્ત કરતા, આ ‘સંકલ્પ સત્યાગ્રહ’ તમામ પ્રાંતો અને જિલ્લાઓમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે યોજવામાં આવશે.

જે સવારે 10 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસના નેતાઓ દિલ્હીના રાજઘાટ પર આયોજિત ‘સંકલ્પ સત્યાગ્રહ’માં ભાગ લેશે.

દિલ્હી ખાતે કોંગ્રેસનો સત્યાગ્રહ

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે તમામ રાજ્ય એકમોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે, ન્યાયની આ લડાઈમાં રાહુલ ગાંધી એકલા નથી, લાખો કોંગ્રેસીઓ અને કરોડો લોકો તેમની સાથે ઉભા છે. અમે અમારા નેતા અને તેમની નિર્ભય લડાઈના સમર્થનમાં સત્યાગ્રહ કરીશું. કોંગ્રેસના આ સત્યાગ્રહને ‘સ્વરાજ ઈન્ડિયા’એ પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કોંગ્રેસને ન મળી પ્રદર્શનની મંજૂરી?

ત્યારે આ બધાની વચ્ચે સત્યાગ્રહની શરૂઆત થાય તે પહેલા જ કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે મળતી માહિતી અનુસાર પોલીસે તેમને રાજઘાટ પર પ્રદર્શન કરવાની મંજૂરી આપી નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ દિલ્હીના રાજઘાટ ખાતે આયોજિત ‘સંકલ્પ સત્યાગ્રહ’માં હાજરી આપવાના હતા ત્યારે હવે પોલીસે મંજૂરી ન આપતા શું આગળ શું પગલા લેવાય છે તે જોવું રહ્યું.

ભાજપ પર લોકશાહી દબાવવાનો આરોપ

રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવાના વિરોધમાં શનિવારે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ અને આસામમાં કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોલકાતામાં, વિરોધ કરી રહેલા કામદારોએ હઝરા વિસ્તારમાં આશુતોષ મુખર્જી રોડ બ્લોક કર્યો. તેઓએ ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા હતા, અને ભાજપ પર બદલાની રાજનીતિ રમવાનો અને લોકશાહીને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. યૂથ કોંગ્રેસના પચાસ કાર્યકરો કોલકાતામાં રાજભવનના ગેટ પાસે ધરણા કરતા જોવા મળ્યા હતા. આ કાર્યકરોએ રાહુલની અયોગ્યતાની નિંદા કરતા સંદેશાઓ સાથેના પ્લેકાર્ડ હાથમાં લીધા હતા.

કેરળના વાયનાડમાં વિરોધ પ્રદર્શન

કેરળના વાયનાડમાં શનિવારે કોંગ્રેસના કાર્યકરો અને તેના યુવા અને વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના પૂતળાનું દહન કર્યું હતું. રાહુલ ગાંધી લોકસભામાં વાયનાડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. વિધાનસભ્ય ટી સિદ્દીકી સહિત કોંગ્રેસના નેતાઓ, જેઓ વાયનાડના કાલપેટ્ટામાં બીએસએનએલ કાર્યાલય સુધી વિરોધ કૂચનો ભાગ હતા, તેમને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા બસમાં લઈ જવામાં આવ્યા હતા. સિદ્દીકી ઉપરાંત યુથ કોંગ્રેસના કાર્યકરો અને રાજ્ય કોંગ્રેસના નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અને વિરોધ સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા હતા.

Published On - 9:39 am, Sun, 26 March 23

Next Article