રામ મંદિરના શિલાન્યાસના દિવસે કોંગ્રેસ પ્રદર્શન કરી રહી છે, તુષ્ટિકરણથી દૂર રહોઃ અમિત શાહ

|

Aug 05, 2022 | 8:16 PM

કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. 5 ઓગસ્ટે જે દિવસે રામ મંદિરનો શિલાન્યાસ થયો હતો તે જ દિવસે કોંગ્રેસ છેલ્લા બે વર્ષથી વિરોધ કરી રહી છે. કાળા કપડા પહેરીને વિરોધ કરવાનો શું અર્થ?

રામ મંદિરના શિલાન્યાસના દિવસે કોંગ્રેસ પ્રદર્શન કરી રહી છે, તુષ્ટિકરણથી દૂર રહોઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
Image Credit source: PTI

Follow us on

ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) આજે વિરોધ પ્રદર્શન મુદ્દે કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આજે ED દ્વારા કોઈની પૂછપરછ કરવામાં આવી નથી તો કોંગ્રેસે કાળા કપડામાં વિરોધ કેમ કર્યો. કોંગ્રેસે એક જવાબદાર પક્ષ તરીકે કાયદાને સહકાર આપવો જોઈએ. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. 5 ઓગસ્ટે જે દિવસે રામ મંદિરનો શિલાન્યાસ થયો હતો તે જ દિવસે કોંગ્રેસ છેલ્લા બે વર્ષથી વિરોધ કરી રહી છે. કાળા કપડા પહેરીને વિરોધ કરવાનો શું અર્થ? ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે એક જવાબદાર પક્ષ તરીકે કાયદાનું સમર્થન કરવું જોઈએ.

એજન્સીઓની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ!

વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટીએ આજે ​​દિલ્હીમાં કાળા કપડા પહેરીને ઉગ્ર વિરોધ કર્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીથી લઈને કોંગ્રેસના લગભગ તમામ મોટા નેતાઓ કાળા કપડામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસનો આ વિરોધ પક્ષના નેતાઓ સામે એજન્સીઓની કાર્યવાહી સામે કથિત રીતે કરવામાં આવ્યો હતો. જો કે ગૃહમંત્રી અમિત શાહ આ વિરોધને રામ મંદિર નિર્માણની તારીખ સાથે જોડી રહ્યા છે. બે વર્ષ પહેલા 5 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તાજેતરમાં, EDએ યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કરી દીધી હતી અને ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીના ઘરની બહાર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. સાથે જ કોંગ્રેસ મુખ્યાલયને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. તે જ દિવસે સાંજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પત્રકાર પરિષદમાં ‘એજન્સી’ની ‘બદલાની કાર્યવાહી’ સામે આ દિવસે એટલે કે 5 ઓગસ્ટે આંદોલનની ચેતવણી આપી હતી.

‘કોંગ્રેસ તુષ્ટિકરણની નીતિને આગળ ધપાવી રહી છે’

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “હું સ્પષ્ટપણે માનું છું કે કોંગ્રેસે છુપાયેલા રીતે તુષ્ટિકરણની નીતિને આગળ ધપાવી છે. આજે EDએ ન તો કોઈને સમન્સ પાઠવ્યું છે, ન તો કોઈ દરોડા પડ્યા છે, કંઈ થયું નથી અને આજે અચાનક કોંગ્રેસે વિરોધનો કાર્યક્રમ આપ્યો, આજે જ વિરોધનો કાર્યક્રમ કેમ આપ્યો તે મને સમજાતું નથી. બાકીના દિવસોમાં પ્રદર્શનો થયા, દરેક પોતપોતાના ડ્રેસમાં હતા, પરંતુ આજે બધા કાળા કપડામાં જોવા મળે છે.

તેમણે કહ્યું કે, આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 વર્ષ જૂના રામ મંદિર વિવાદ બાદ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. કોંગ્રેસે આ દિવસે વિરોધ કર્યો છે કારણ કે તેઓ એવો સંદેશ આપવા માંગે છે કે “અમે રામ મંદિરના શિલાન્યાસનો વિરોધ કરીએ છીએ” અને તેઓ તેમની “તુષ્ટીકરણની નીતિ” ને આગળ વધારવા માંગે છે.

Published On - 8:16 pm, Fri, 5 August 22

Next Article