કોંગ્રેસના ધારાસભ્ય રમેશ કુમારના વિવાદીત નિવેદનની ચારેકોર થઈ રહી છે ટીકા, મહિલા આયોગે પણ કાઢી ઝાટકણી

|

Dec 17, 2021 | 9:00 PM

રમેશ કુમારના નિવેદનની ટીકા કરતા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે પાર્ટીએ આવા લોકોને ટિકિટ ન આપવી જોઈએ અને ન તો જનતાએ આવા લોકોને મત આપવો જોઈએ.

કોંગ્રેસના ધારાસભ્ય રમેશ કુમારના વિવાદીત નિવેદનની ચારેકોર થઈ રહી છે ટીકા,  મહિલા આયોગે પણ કાઢી ઝાટકણી
National Commission for Women President Rekha Sharma criticized the controversial statement of Congress MLA Ramesh Kumar

Follow us on

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય (Karnataka Congress) રમેશ કુમાર (Ramesh Kumar) દ્વારા બળાત્કારને લઈને આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને હોબાળો થયો છે. તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા ઘણા નેતાઓએ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માગ કરી છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતે આ અભદ્ર ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે. જો કે હજુ પણ આ હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો.

હવે આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માનું નિવેદન સામે આવ્યું છે. રમેશ કુમારના નિવેદનની ટીકા કરતા તેમણે કહ્યું કે પાર્ટીએ આવા લોકોને ટિકિટ ન આપવી જોઈએ અને ન તો જનતાએ આવા લોકોને મત આપવો જોઈએ.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

રેખા શર્માએ કહ્યું, “આ એવા લોકો છે જે લોકો માટે વધુ સારા કાયદા બનાવવા માટે છે પરંતુ તેઓ આ અસંવેદનશીલ ટિપ્પણી પર હસી રહ્યા હતા. મને આશ્ચર્ય છે કે તેઓ લોકોના ભલા માટે કેવી રીતે કામ કરશે.” તેણે આગળ કહ્યું, “એક તરફ તેઓ કાયદા બનાવી રહ્યા છે, કાયદાને મજબૂત કરી રહ્યા છે અને બીજી તરફ તેઓ બળાત્કારને પ્રોત્સાહન આપી રહ્યા છે. પાર્ટીએ આવા લોકોને ટિકિટ ન આપવી જોઈએ અને જનતાએ પણ આવા લોકોને મત ન આપવો જોઈએ.”

 

શું હતું રમેશ કુમારનું નિવેદન?

રમેશ કુમારે મહિલાઓના બળાત્કારને લઈને ખૂબ જ વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે ગુરુવારે વિધાનસભામાં કહ્યું હતું કે, ‘જ્યારે બળાત્કાર થવાનો હોય ત્યારે સૂઈ જાઓ અને મજા કરો’ તેમના આ વિવાદાસ્પદ નિવેદને હોબાળો મચાવ્યો હતો અને ઘણા નેતાઓએ તેની ટીકા કરી હતી.

આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની હકાલપટ્ટીની માંગ કરતા રમેશ કુમારે કહ્યું હતું કે, ‘મહિલાઓની સુરક્ષાની પ્રતિજ્ઞા લેતી વિધાનસભાની ભૂમિ પર કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલું નિવેદન શરમજનક છે. કોંગ્રેસનું નેતૃત્વ જે ઉત્તર પ્રદેશમાં કહે છે કે હું છોકરી છું  લડી શકું છું તો પહેલા કોંગ્રેસ આ નેતાને પોતાની પાર્ટીમાંથી હાંકી કાઢે.’

તે જ સમયે, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, “ધારાસભ્ય કુમારે હસીને કહ્યું કે જ્યારે બળાત્કાર થાય છે, ત્યારે વ્યક્તિએ સૂઈ જઈને આનંદ લેવો જોઈએ! આવી લુચ્ચી અને બળાત્કારી વિચારધારા ધરાવતી વ્યક્તિને વિધાનસભામાં બેસવાનો અધિકાર નથી. હું કર્ણાટક સરકારને અપીલ કરું છું કે એફઆઈઆર નોંધીને આ વ્યક્તિની ધરપકડ કરે, તેને વિધાનસભામાંથી કાઢી મૂકે અને VIP સુરક્ષા છીનવી લેવામાં આવે.”

આ પણ વાંચો :  Punjab: અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી, સીટની વહેંચણી અંગે પછી નિર્ણય લેવાશે

Next Article