Punjab Congress Crisis : શું પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે ? કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને આપ્યું રાજીનામું

|

Sep 18, 2021 | 5:05 PM

કોંગ્રેસના પ્રભારી નવજોત સિંહ સિદ્ધુ ઉપરાંત હરીશ રાવત પણ આજે યોજાનારી કોંગ્રેસ ધારાસભાની બેઠકમાં હાજરી આપશે. એવું માનવામાં આવે છે કે પાર્ટી આજે અમરિંદર સિંહની જગ્યાએ નવા મુખ્યમંત્રીની પસંદગી કરી શકે છે.

Punjab Congress Crisis : શું પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે ? કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને આપ્યું રાજીનામું
Amarinder Singh

Follow us on

Punjab Congress Crisis: પંજાબ કોંગ્રેસ (Punjab Congress )માં રાજકીય સંઘર્ષ ચરમસીમાએ છે. તમામ હંગામા વચ્ચે કોંગ્રેસે આજે સાંજે 5 વાગ્યે પંજાબમાં વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં કોંગ્રેસ તેના વિધાનસભા પક્ષના નવા નેતાની પસંદગી કરશે.

આ ક્રમમાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)ને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચુંટવા અંગેની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, શાંત દેખાતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર (CM Amarinder Singh) સિંહ શું કરશે ?

એવી અટકળો છે કે, કેપ્ટન કોઈ પણ સમયે રાજીનામું આપી શકે છે. હાલમાં અમરિંદર સિંહે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. અહીં કોંગ્રેસ હાઇકમાન્ડે પાર્ટીના ધારાસભ્યો (MLA)ને તેમની બેઠકથી દૂર રહેવાનું કહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમરિંદર સિંહ સાંજે 5:00 વાગ્યે રાજ્યના રાજ્યપાલને મળી શકે છે અને તેમને પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન (Presidential rule) લાદવાની વિનંતી કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સોનિયા ગાંધીને ધારાસભ્યોનો પત્ર – કેપ્ટનને તાત્કાલિક દૂર કરવા જોઈએ

પંજાબ કોંગ્રેસમાં ખુરશીની લડાઈને લઈને હંગામો વચ્ચે પંજાબના કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોએ સોનિયા ગાંધીને પત્ર લખીને મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh)ને હટાવવાની માગ કરી છે. આ સંદર્ભે, કોંગ્રેસના 50 થી વધુ ધારાસભ્યોએ પાર્ટી અધ્યક્ષને પત્ર લખીને અમરિંદરના કામ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. જોકે આગળ શું થશે તે હજુ સ્પષ્ટ નથી.

અમરિંદર સિંહ મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પંજાબ કોંગ્રેસની કદાચ આ પ્રથમ બેઠક હશે, જેનું નેતૃત્વ અમરિંદર સિંહ કરશે નહીં.

કેપ્ટન શું કરશે?

આ બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુ ઉપરાંત કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર રહેશે. આ જ કારણ છે કે રાજકીય કોરિડોરમાં એવું માનવામાં આવે છે કે પાર્ટી આજે અમરિંદર સિંહ (Amarinder Singh)ની જગ્યાએ નવા મુખ્યમંત્રીની પસંદગી કરી શકે છે. એ જોવું રસપ્રદ રહેશે કે, અમરિંદર શાંતિથી પાર્ટીમાં રહે છે કે પછી અમરિંદરને નવા ચહેરા સાથે બદલ્યા બાદ બળવાના સંકેતો દર્શાવે છે.

સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેનો રાજકીય વિવાદ જૂનો છે. સિદ્ધુ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા ત્યારે જ તેની શરૂઆત થઈ હતી. કોંગ્રેસમાં પ્રવેશ બાદ સિદ્ધુને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ અમરિંદર સાથે વધતા તણાવ વચ્ચે તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી સિદ્ધુએ પાર્ટીના નેતૃત્વને અમરિંદર વિરુદ્ધ ઘણું બધું કહ્યું. આ દરમિયાન કોંગ્રેસે પ્રદેશ પ્રમુખનું પદ સિદ્ધુને સોંપ્યું, જે બાદ બંને વચ્ચેનું અંતર વધુ વધ્યું. હવે તે નવા ધારાસભ્ય પક્ષના નેતાની ચૂંટણીમાં પહોંચી ગયો છે.

નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh) વચ્ચે સતત વધી રહેલા વિવાદનો આજે અંત આવી શકે છે. ધારાસભ્યોની માગને જોતા અને કટોકટીની સ્થિતિમાં બેઠક બોલાવી, વિધાનસભા પક્ષની આ બેઠકમાં કંઈ પણ થઈ શકે છે.

 

આ પણ વાંચો : Team India : કોણ બનશે ટીમ ઇન્ડિયાના કોચ ? રવિ શાસ્ત્રીના પદ માટે છે આ 5 દાવેદાર

Published On - 4:27 pm, Sat, 18 September 21

Next Article